સિમલાના મસ્જિદ વિવાદમાં શું આવ્યો અણધાર્યો વળાંક ? જુઓ
હિમાચલ પ્રદેશના શિમલાના સંજૌલીમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદને લઈને ઘણો હોબાળો થયો હતો. મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હિંદુ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મૌલવીનું નિવેદન સામે આવ્યું હતું. એમણે કહ્યું હતું કે કે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે અમે ગેરકાયદેસર ભાગ હટાવવાનો નિર્ણય કર્યો છે. જો અમને પરવાનગી મળશે, તો અમે તેને જાતે દૂર કરીશું.
મુસ્લિમ પક્ષ તરફથી સિમલાના મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મ અને સમુદાયના લોકો હંમેશા શાંતિ અને ભાઈચારાથી રહે છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે શાંતિ અને સુલેહ-શાંતિ પ્રવર્તે. મુસ્લિમોનું એક પ્રતિનિધિ મંડળ પણ કમિશનરને મળ્યું હતું અને રજૂઆત કરી હતી.
આથી મનપાએ ગેરકાયદે બાંધકામ ગણાતા ભાગને સીલ મારવો જોઈએ. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીશું. જો અમને પરવાનગી આપવામાં આવે તો અમે તે ગેરકાયદેસર ભાગને દૂર કરવા તૈયાર છીએ.
બજાર બંધ હોવાથી મુશ્કેલી
આ ઉપરાંત સંજૌલી ઉપનગરમાં પણ દુકાન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિમલામાં એકપણ દુકાન ખુલ્લી નથી અને બજાર સંપૂર્ણપણે બંધ હતી. ગુરુવારે પણ દુકાનો ખૂલી નહતી. જેના કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ ગુરુવારે શિમલા લોઅર બજારમાં વિરોધ રેલી કાઢી હતી અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તેમજ વહેલી તકે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની માંગ કરી હતી.