રિઝર્વ બેન્કે નવી ચલણી નોટો અંગે શું માહિતી આપી ? જુઓ
રિઝર્વ બેંકએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું. દરમિયાન રિઝર્વ બેંક દ્વારા અગાઉ બહાર પડાયેલ તમામ 100 અને 200 રૂપિયાની નોટો કાયદેસર ચાલુ રહેશે. અત્યારે પણ ચલણમાં સૌથી વધુ આ નોટો છે અને રૂપિયા ૫૦૦ ની નોટ પણ વધુ ચલણમાં છે.
રિઝર્વ બેંક ટૂંક સમયમાં કેન્દ્રીય બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ પણ બહાર પાડશે. મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ શક્તિકાંત દાસની જગ્યાએ આવ્યા છે . જેઓ તેમનો વિસ્તૃત કાર્યકાળ પૂર્ણ થયા પછી પદ છોડી ચૂક્યા છે . નવી નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની ૫૦ રૂપિયાની નોટ જેવી જ છે.
જૂની નોટોનું શું થશે?
બજારમાં ૫૦ રૂપિયાની નવી નોટ આવ્યા પછી, જો તમે જૂની નોટ વિશે ચિંતિત છો, તો આરબીઆઇએ તેનો પણ જવાબ આપ્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૫૦ રૂપિયાની બધી જૂની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તેમાં કોઈ શંકા નથી.