કાશ્મીરના અનંતનાગમાં શું થયું ? જવાનો સાથે કેવી ઘટના બની ? જુઓ
કાશ્મીરમાં શાંતિથી ચુંટણી થઈ છે માટે પાકિસ્તાનને પેટમાં ઝાળ લાગી છે અને જવાનો પર હુમલાના કાવતરા થઈ રહ્યા છે. અનંતનાગમાંથી આતંકીઓએ બુધવારે 2 જવાનોના અપહરણ કર્યા બાદ એક જવાનનો મૃતદેહ મળ્યો હતો અને તેના શરીર પર ગોળી અને ચાકુના નિશાન હતા.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે એક જવાન કોઈ રીતે આતંકીઓની ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા જવાનનો ગોળીઓથી વીંધી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
આ ઘટના બાદ જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું અને છૂપાયેલા આતંકીઓને શોધીને ઠાર કરવા માટે વ્યાપક કવાયત શરૂ કરી હતી. જવાનો મોટી સંખ્યામાં અહીં ગોઠવાઈ ગયા હતા.