બિહારમાં ફરી શું બની દુર્ઘટના ? ક્યાં દોડાદોડી થઈ ? વાંચો
બિહારમાં ભારે વરસાદ ચાલુ જ રહેતા ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો હતો. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરુ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ હતી.
સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતું. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પેન રાખવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનકથી સ્પેન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દુર્ઘટના બાદ ઘટના સ્થળે જેસીબી બોલાવવામાં આવ્યું. જેસીબીએ રાત્રે પુલના કાટમાળને માટીમાં દબાવી દીધું. તંત્ર આ સમાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું. પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યું હતું. જો કે સ્પેન પડવાથી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.
પૂલના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા છે અને સાથોસાથ પૂલ પણ પડી રહ્યા છે ત્યારે નીતિશ સરકાર ભારે ફિક્સમાં મુકાઇ છે. જો કે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી તેવી ફેરિયાદો પણ ઉઠી રહી છે.