વડાપ્રધાને ઓડિશામાં શું કહ્યું ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશાના પુરીમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન ગર્જના કરી હતી. તેમણે પુરીમાં ભાજપના ઉમેદવાર સંવિત પાત્રાના સમર્થનમાં રોડ-શો કર્યો હતો. અહીં રોડ શો બાદ ઢેકનાલમાં રેલી કરી હતી. રેલીને સંબોધતા, તેમણે રાજ્યના શાસક પક્ષ બીજુ જનતા દળ (બીજેડી) પર નિશાન સાધ્યું હતું.
મોદીએ કહ્યું કે બીજેડી સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારીઓના નિયંત્રણમાં છે. એમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ મુખ્યમંત્રીએ આવાસ અને ઓફિસ પર કબજો જમાવી લીધો છે. તેમણે બીજેડી પર ઓડિશાની સંપત્તિ અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે બીજેડી સરકારમાં જગન્નાથ મંદિર પણ સુરક્ષિત નથી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂને યોજાશે.
મોદીએ વધુમાં કહ્યું કે, “તમે અહીં ભાજપની સરકાર બનાવો, ભાજપ માત્ર ઓડિશાના પુત્ર કે પુત્રીને જ મુખ્યમંત્રી બનાવશે. 10 જૂને ઓડિશામાં ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. કારણ કે, આ બીજેડી સરકાર જવાની છે.” તે નક્કી છે.”
બીજેડી પર ઓડિશાની સંસ્કૃતિનો નાશ કરવાનો આરોપ
મોદીએ રેલીમાં બીજેડી સરકારને ઘેરી હતી. તેમણે રાજ્ય સરકાર પર ઓડિશાની સંસ્કૃતિનો નાશ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, કે “બીજેડીના શાસનમાં ન તો ઓડિશાની સંપત્તિ અને ન તો ઓડિશાનો સાંસ્કૃતિક વારસો સુરક્ષિત છે. આ પદ્મ પુરસ્કાર વિજેતા અંતર્યામી મિશ્રાજીની ભૂમિ છે, જેમણે જગન્નાથ સંસ્કૃતિ માટે ઘણું કામ કર્યું છે.”
