યુપી : બરેલીમાં એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો
કોઈને ઇજા થઈ નથી : ગ્લાસ તૂટયા; હુમલાખોરોની તલાશ
ઉત્તર પ્રદેશના બરેલીમાં કાશી વિશ્વનાથ એક્સપ્રેસ પર સોમવારે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ફતેગંજ વેસ્ટ નજીક ધાનેટા હોલ્ટ પર કાશી વિશ્વનાથ એક્સપ્રેસ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. આ ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
બરેલી રેલવે પોલીસ દળના સ્ટેશન ઈન્ચાર્જ અજીત પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે બની જ્યારે ટ્રેન દિલ્હીથી વારાણસી જઈ રહી હતી. સિંહે કહ્યું કે જ્યારે ટ્રેન ધાનેટા હોલ્ટ પર પહોંચી તો કેટલાક લોકોએ તેના પર પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે કોચ B-1ની બારી તૂટી ગઈ.
આ ઘટનાના સંદર્ભમાં રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સિંહે કહ્યું કે આરપીએફએ પથ્થરબાજોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે બરેલી જંકશનથી ચંદૌસી, મુરાદાબાદ અને શાહજહાંપુર સુધી રેલ્વે લાઇન સાથેના ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ પહેલા પણ અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી.