લોન ભરપાઈ ન કરતા અયોધ્યા પાર્કમાં મકાનની જપ્તી
રૂપિયા 19,81,131ની વસુલાત માટે સિક્યુરાઇઝેશન એક્ટ અન્વયે સીટી મામલતદારની કાર્યવાહી
રાજકોટ શહેરમાં બેન્ક કે હાઉસિંગ ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવ્યા બાદ લોન ભરપાઈ નહીં કરનાર આસામીઓ સામે જિલ્લા કલેકટર દ્વારા સિક્યુરાઇઝેશન એક્ટ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અન્વયે રાજકોટ સીટી પૂર્વ મામલતદાર કચેરીની ટીમે ભગવતીપરા વિસ્તારમાં આવેલ અયોધ્યા પાર્કમાં વધુ એક મકાનનો કબ્જો મેળવી હાઉસિંગ ફાયનાન્સ કંપનીને સોંપી આપ્યો હતો.
રાજકોટ શહેરમાં પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા કુરીબેન બચુભાઈ પરમારને રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર 10 પૈકી 4 ની ” અયોધ્યા પાર્ક” સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 8 પૈકી ઉત્તર દિશાની જમીન ચોરસ મીટર આશરે 51.05 સહીત ના મકાન ” જય ખોડીયાર કૃપા” આવેલ છે જેના ઉપર લોન મેળવ્યા બાદ તારીખ 15/12/2019 સુધીની બાકી લેણી રકમ રૂપિયા 19,81,131અને ત્યારબાદ ચડત વ્યાજની રકમ ન ભરપાઈ કરવામાં આવતા સીટી પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડાની સૂચના મુજબ સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા મકાનનો કબજો લઈ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સના અધિકૃત અધિકારીને કબજો સોંપવામાં આવેલ હતો.