શનિ-રવિ ગામડાં ખૂંદશે ભાજપ, ગાંવ ચલો અભિયાન
મુખ્યમંત્રી બનાસકાંઠાના જલોત્રા ગામમાં રાત્રી રોકાણ કરશે
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તા.10 ફેબ્રુઆરી 2024 થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારોમાં કેન્દ્રની યોજના અનુસાર ‘ગાંવ ચલો અભિયાન’ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.10 ફેબ્રુઆરી 2024 (શનિવાર) ના રોજ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રી રોકાણ અને ભોજન કરશે. પ્રદેશના હોદ્દેદારઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, તાલુકા/જિલ્લાના હોદ્દેદારઓ પણ આ અભિયાનમાં જોડાશે.
આ અભિયાનનો હેતુ કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનો છે.
કેન્દ્રની યોજના અનુસાર ‘ગાંવ ચલો અભિયાન’ યોજાશે. જે અંતર્ગત તા.10 ફેબ્રુઆરી 2024 થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને (તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં) જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત 24 કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ/બૂથમાં ‘પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે. જેમાં પ્રવાસી કાર્યકર્તાઓ 29165 અને કન્વીનરો 27535 એમ કુલ 56700 કાર્યકર્તાઓ ‘ગાંવ ચલો અભિયાન’ અંતર્ગત 41 જિલ્લા/મહાનગરમાં જશે. પ્રદેશના હોદ્દેદારઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, તાલુકા/જિલ્લાના હોદ્દેદારઓ પણ આ અભિયાનમાં જોડાશે.