Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

 રાજકોટ : 64 વર્ષ પૂર્વે જમીન વેચી નાખી હોવા છતાં ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી લીધું : પ્રમાણપત્ર રદ કરવા કલેકટરનો હુકમ

Wed, February 19 2025

  • ખોટી રીતે મેળવેલ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ કરવા કલેકટરનો હુકમ
  • ખેડૂત ખાતેદાર પ્રમાણપત્રના આધારે પીપળીયા ગામે ખરીદેલી જમીનની નોંધ રદ કરવા પણ આદેશ

રાજકોટ : મહેસુલ વિભાગમાં રેર ઓફ ધ રેર ગણાય તેવા કિસ્સામાં રાજકોટ જિલ્લા કલેકટરે મહત્વનો ચુકાદો આપ્યો છે. સીમાચિહ્નરૂપ આ કિસ્સામાં નાકરાવાડી ખાતે જમીન ખરીદનાર અસામીના વડવાઓએ 64 વર્ષ પૂર્વે સંપૂર્ણ જમીન વેચી નાખી હોવા છતાં પણ રેવન્યુ રેકર્ડમાં જમીન વેચાણની અસર વિલંબથી થવાના કિસ્સામાં ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવી લઈ બાદમાં રાજકોટ તાલુકાના નાકરાવાડી અને પીપળીયા સહિતના ગામોમાં જમીન ખરીદી લીધી હોવાનું સામે આવતા સીટી પ્રાંત અધિકારી-2ના ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રીવીઝનમાં લઈ રદ્દ કરવા રિપોર્ટ કરતા આ કેસમાં જિલ્લા કલેકટરે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ્દ કરવાની સાથે તમામ જમીનની વેચાણ નોંધ રીવીઝનમાં લેવા તેમજ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 57 મુજબ પગલાં ભરવા આદેશ કર્યો છે.

રેવન્યુ વિભાગના આ મહત્વના કેસ અંગેની વિગતો જોઈએ તો વર્ષ 2021માં નાકરાવાડી રેવન્યુ સર્વે નંબર 35ની જમીન ધરાવતા અભિષેક કમલેશભાઈ બાલાસરા દ્વારા રાજકોટ સીટી પ્રાંત-2 અધિકારીની કચેરીમાં ખેડૂત ખાતેદાર હોવાં અંગેના આધાર પુરાવા સાથે અરજી કરતા સીટી પ્રાંત-2 અધિકારીની કચેરી દ્વારા ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં જુલાઈ 2022માં સીટી પ્રાંત-2 અધિકારીની કચેરી દ્વારા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવામાં કાચું કપાયું હોવાનું ધ્યાને આવતા ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રદ કેમ ન કરવું તેવી કારણદર્શક નોટિસ કમલેશભાઈ મેરામભાઇ બાલાસરા ને ફટકારી પ્રમાણપત્ર અંગેનો આ કેસ રીવીઝનમાં લેવા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા કેસ રીવીઝનમાં લેવામાં આવ્યો હતો.

વધુમાં કમલેશભાઈ મેરામભાઇ બાલાસરાના વડવાઓ મુળ રાજકોટ તાલુકાના ભાયાસર ગામે સ.નં.૨૧,૨૨,૨૩,૧૮ ની જમીન ધરાવતા હતા. જેમાં સાર્દુલ રાણા ગુજરી જતા વસ્તા સાર્દુલ તથા રાજા સાર્દુલનું નામ દાખલ કરેલ.બાદમાં રાજા સાર્દુલ ગુજરી જતા તેમના વારસ તરીકે મેરામ રાજા, રાયધન રાજા તથા રામ રાજાના નામ દાખલ કરવામાં આવેલ. જે અંગેની પ્રમોલગેશન નોંધ નં.૧૭ ગામ દફતરે દાખલ થયેલ. બાદમાં રાજકોટ તાલુકાના ભાયાસર ગામે નવી માપણી અમલમાં આવતા ખાતેદાર તરીકે (૧) મેરામ રાજા (૨) રાયધન રાજા તથા (૩) રામ રાજાના નામે સ.નં.૪૩/૧,૪૩/૨,૪૩/૩,૪૯,૫૨,૫૩,૫૪ ની જમીન નોંધ નં.૧૩૩ થી દાખલ થયેલ.

જો કે, મેરામ રાજા વગેરે ત્રણ અસામીઓના ખાતે આવેલ ભાયાસર ગામના સ.નં.૪૩/૧,૪૩/૨, ૪૯ તથા પર ની જમીન રજી.વે.દ.નં.૭૯૧, તા. ૨૬/૦૬/૫૭ થી  ગોવિંદ સાર્દુલને વેંચાણ આપવામાં આવેલ. બાકી વધતા સ.નં. ૪૩/૩,૫૩,૫૪,૫૦ ની જમીન વસ્તા સાર્દુલે વે.દ.નં.૧૨૮૯, તા. ૨૬/૦૬/૫૭ થી  દાના ખેંગારને વેંચાણથી આપવામાં આવેલ. જે અન્વયે હકકપત્રકે નોંધ નં. ૨૦૨ તથા ૨૦૩ સને-૧૯૭૦ માં દાખલ કરવામાં આવેલ. પરંતુ નોંધોની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવેલ ન હોવાના કારણે મુળ કબજેદારના નામો રેવન્યુ રેકર્ડમાં ચાલું રહેલ. બાદમાં ફરીને આ જમીનના રેવન્યુ રેકર્ડમાં રજી.દસ્તાવેજ મુજબની નોંધ નં. ૬૯૬ તથા નોંધ નં.૬૯૭ દાખલ કરવામાં આવેલ. ત્યારે તેની રેકર્ડ પર અસર આવેલ. જેથી કમલેશભાઈ મેરામભાઈ બાલાસરાના વડવાઓ દ્વારા  આશરે ૬૪ વર્ષ પહેલા જમીનનું વેંચાણ કરવામાં આવેલ અને બિનખેડૂત બનવા પામેલ હોવાનું રેકર્ડ પરથી સ્પષ્ટ બનતું હોવાનું કેસમાં નોંધ્યું છે.

બીજી તરફ જમીન વેચાણના દસ્તાવેજોની ગામ દફતરે અસર ૩૮ વર્ષ જેટલા સમય બાદ અમલવારી કરવામાં આવેલ હોવાનું અને ત્યારબાદ મેરામભાઈ રાજાભાઈ બાલાસરાએ રાજકોટ તાલુકાના આણંદપર ગામના સ.નં.૧૭૫ પૈ.૨ ની જમીન રજી.વે.દસ્તાવેજથી ખરીદ કરેલ હોવાનું તેમજ ગામ દફતરે નોંધ નં.૭૨૫, તા.૩/૬/૯૬ થી પ્રમાણિત થયેલ હોવાનું કેસમાં નોંધી ત્યારબાદ ઉતરોતર વેંચાણ દ્વારા હાલમાં કમલેશભાઈએ રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના સ.નં.૩૫ ની જમીન રજી.વે.દ. નં.૧૪૭૨, તા.૨૨/૦૨/૦૮ થી ખરીદ કરેલ છે. જેની ગામ દફતરે નોંધ નં.૫૮૭, તા. ૩૦/૦૭/૦૭ થી પ્રમાણિત થયેલ.જેથી કમલેશભાઈ ૩૮ વર્ષ પહેલાં જ બિનખાતેદાર બની ગયા બાદ તેઓ દ્વારા જમીન ખરીદ કરવામાં આવેલ હોવાનું અને તમામ હકીકતો છુપાવીને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવ્યું હોય જે રદ કરવા હુકમ કર્યો હતો. સાથે જ કમલેશભાઈ દ્વારા રાજકોટ તાલુકાના પીપળીયા ગામે પણ ખેતીની જમીન ખરીદ કરવામાં આવી હોય જે નોંધો રદ કરવા જિલ્લા કલેકટરે હુકમ કરી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ 54ના ભંગ બદલ કલમ 57 મુજબ પગલાં ભરવા આદેશ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

આજના બજેટમાં વિકસિત ગુજરાતની છાંટ દેખાશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે 2025-26નું બજેટ, રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ

Next

રાજકોટ : પ્રથમ લગ્ન તૂટ્યા, યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી દુષ્કર્મ ગુજાયું, બીજા લગ્ન પૂર્ણ કર્યા’ને પોલીસે ‘પોખ્યો’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

દિવાળી પર થઈ જાઓ તૈયાર.. તમને મળશે મનોરંજનનો ટ્રિપલ ડોઝ : આ 3 ધમાકેદાર ફિલ્મો થશે રીલીઝ
Entertainment
8 મહિના પહેલા
ભારત-પાક. મેચમાં ઓનલાઈન દર્શકોની સંખ્યા 60.2 કરોડે પહોંચી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
છત્તીસગઢમાં ભાજપના સીએમના શપથ પહેલા કેવી ઘટના બની ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત : અસરગ્રસ્તો સાથે કરી વાતચીત
નેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર