કેજરીવાલે ઇડીના તમામ 9 સમન્સને હાઇકોર્ટમાં પડકાર્યા
દિલ્હીના ચર્ચાસ્પદ દારૂનીતિ કાંડમાં તેમજ દિલ્હી જલ બોર્ડ અંગેના કેસ અંતર્ગત ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાઠવવામા આવેલા કુલ 9 સમન્સને કેજરીવાલે હાઇકોર્ટમાં પડકાર્યા હતા. એમણે દિલ્હી હાઇકોર્ટમાં મંગળવારે અરજી દાખલ કરી હતી.
કેજરીવાલે અરજીમાં તમામ સમન્સને ગેરકાયદે ગણાવ્યા હતા. સમન્સના મુદ્દા પર કેજરીવાલે અદાલતી જંગ શરૂ કરેલી છે અને હવે તેમણે બધા જ સમન્સને હાઇકોર્ટમાં પડકાર્યા છે. રવિવારે દિલ્હી જલ બોર્ડ અંગેના નાણાંકીય હેરાફેરીના કેસમાં કેજરીવાલને સમન્સ પાઠવાયું હતું.