ઉત્તરાખંડના કયા શહેરમાં થયું તોફાન ? વાંચો
- શા માટે થયું તોફાન ?
ઉત્તરાખંડમાં હલદવાની શહેરમાં ગુરુવારે મોટી બબાલ થઈ ગઈ હતી. એક જગ્યાએ એક મદરેસા ઉપર તંત્રવાહકોએ બુલડોઝર ફેરવી દેતાં ભારે મોટું તોફાન થયું હતું અને તેના વિરોધમાં દેખાવકારોએ પથ્થરમારો કરીને અનેક વાહનો ફુંકી માર્યા હતા. સમગ્ર શહેરમાં અજંપો ફેલાઈ ગયો હતો.
પોલીસે તોફાનીઓને વિખેરવા માટે તીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો થયા બાદ વાત વધુ વણસી ગઈ હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો. પથ્થરમારામાં અનેક પોલીસમેન ઘાયલ થયા હતા.
મુખ્યમંત્રી ધામીએ ક્ષિતિની ગંભીરતાને જોઈને ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને તોફાનીઓને શોધી લેવાની પોલીસને સૂચના અપાઈ હતી. તોફાનીઓએ પોલીસ સ્ટેશનને ઘેરો નાખી દીધો હતો. બુલડોઝર ચલાવનાર ટીમ પર પણ હુમલો થયો હતો. જેમાં કેટલાક કર્મચારી ઘાયલ થાય હતા. જેસીબીને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. દેખાવકારોને પકડવા માટે પોલીસ તલાશ પણ શરૂ કરી હતી.