દેશના મોટર વાહન સેક્ટરનું જીએસટીમાં કૂલ કેટલું યોગદાન ? વાંચો
ભારતીય મોટર વાહન ઉદ્યોગે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 20 લાખ કરોડનો આંકડો વટાવ્યો છે અને હવે દેશમાં એકત્ર થયેલા કુલ જીએસટીમાં 14-15 ટકાનું યોગદાન આપ્યું છે. હજુ પણ આગામી સમયમાં તેમાં વધારો થઈ શકે છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે સોમવારે 64મા વાર્ષિક ACMA સત્રમાં જણાવ્યું હતું કે દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર નિર્માણમાં ઓટોમોટિવ ક્ષેત્ર પણ નોંધપાત્ર યોગદાન આપે છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 20 લાખ કરોડનો આંકડો પાર કર્યો છે… અમે દેશમાં એકત્ર કરાયેલા કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં લગભગ 14-15 ટકા યોગદાન આપી રહ્યા છીએ.”
જીડીપીમાં મોટું યોગદાન
તેમણે કહ્યું કે ઓટોમોટિવ ઉદ્યોગ દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં વર્તમાન 6.8 ટકાના સ્તર કરતાં વધુ યોગદાન આપશે. અગ્રવાલે કહ્યું કે માત્ર વૃદ્ધિના આંકડા જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ટેક્નોલોજીમાં પરિવર્તન પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
સૌથી મોટું માર્કેટ છે
ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, “અમે ત્રીજા નંબરનું સૌથી મોટું પેસેન્જર વ્હિકલ માર્કેટ, સૌથી મોટું ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માર્કેટ અને ત્રીજા સૌથી મોટા કોમર્શિયલ વ્હીકલ માર્કેટ બની ગયા છીએ.” તે પણ એવા સમયે જ્યારે દેશ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે.
અગ્રવાલે અહીં ACMA ના વાર્ષિક સત્રમાં જણાવ્યું હતું કે, “અમે 2025 સુધીમાં આયાત સામગ્રીને 2019-20ના બેઝ લેવલથી 60 ટકાથી ઘટાડીને 20 ટકા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” જેમાં પાંચ વર્ષમાં 20,000 થી 25,000 કરોડ રૂપિયા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. “અમે પ્રથમ બે વર્ષમાં 5.8 ટકાના આયાત ઘટાડાનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક હાંસલ કર્યો છે.”