બિહારમાં ઝેરી દારૂ પીવાથી કેટલાના મોત થયા ? વાંચો
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત થયા હતા, જેના કારણે વહીવટીતંત્રે તપાસનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસને રવિવારે મૃત્યુ વિશે ખબર પડી, જોકે પહેલું મૃત્યુ ચાર દિવસ પહેલા થયું હતું અને બધા મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક શૌર્ય સુમને જણાવ્યું હતું કે તમામ મૃત્યુ લૌરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા છે.
સ્થાનિક લોકોએ આ મૃત્યુ માટે નકલી દારૂ પીવાને જવાબદાર ગણાવ્યું હતું, પરંતુ એસપીએ કહ્યું કે ઓછામાં ઓછા બે મૃત્યુ પાછળ નકલી દારૂ કારણભૂત નથી. તેમણે કહ્યું કે, એક ટ્રેક્ટર સાથે અથડાઈ ગયો હતો, જ્યારે બીજો લકવાગ્રસ્ત થઈ ગયો હતો. સુમને કહ્યું, પહેલું મૃત્યુ 15 જાન્યુઆરીએ થયું હતું, જોકે અમને આ ઘટના વિશે આજે જ ખબર પડી. બાકીના પાંચ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી કારણ કે પોલીસને જાણ કરવામાં આવે તે પહેલાં જ સાતેય મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. અમે તે જાણવા માટે એક તપાસ ટીમની રચના કરી છે.