સ્તન પકડવા, પાયજામાની દોરી તોડવી એ દુષ્કર્મનો પ્રયાસ નથી !! અલ્હાબાદ HCના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ નારાજ
સુપ્રીમ કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ આદેશ પર સ્ટે આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સગીર છોકરીના સ્તન પકડવા, તેના પાયજામાની દોરી તોડી નાખવી એ બળાત્કારના પ્રયાસના ગુનામાં ગણાશે નહીં. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ કૃત્યો POCSO કાયદા હેઠળ “ઉગ્ર જાતીય હુમલો” નો ગુનો બનાવે છે, જેમાં ઓછી સજા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ આદેશ પર સ્ટે આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્તન પકડવું કે પાયજામાની દોરી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્ણય “સંવેદનશીલતાનો અભાવ” દર્શાવે છે
અલ્હાબાદ હાઈકોર્ટના 17 માર્ચના આદેશ સામે ‘વી ધ વુમન ઓફ ઈન્ડિયા’ નામની સંસ્થાએ કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી હતી.
સંવેદનશીલતાનો અભાવ
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે આ ચુકાદો હાઈકોર્ટના ન્યાયાધીશ તરફથી “સંવેદનશીલતાનો અભાવ” દર્શાવે છે. HTના અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું, ” દુઃખની વાત છે કે આ નિર્ણય સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો ન હતો અને તેને અનામત રાખ્યાના 4 મહિના પછી જાહેર કરવામાં આવ્યો હતો. આમ, તેમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે સામાન્ય રીતે આ તબક્કે સ્ટે આપવામાં અચકાતા હોઈએ છીએ. પરંતુ ફકરા 21, 24 અને 26 માં કરવામાં આવેલી ટિપ્પણીઓ કાયદાના સિદ્ધાંતોથી અજાણ હોવાથી અને અમાનવીય અભિગમને પ્રતિબિંબિત કરતી હોવાથી, અમે ઉપરોક્ત ફકરામાં કરવામાં આવેલી ટિપ્પણીઓને સ્ટે આપીએ છીએ.”
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારો પાસેથી પણ જવાબ માંગ્યો હતો અને સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ આર વેંકટરામણી પાસેથી પણ મદદ માંગી હતી.
13 માર્ચનો અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો શું હતો ?
13 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે સ્તન પકડવા દુષ્કર્મ નથી પરંતુ તે ગંભીર યૌન હુમલો છે અને તેને માટે સજા થઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટનું એવું કહેવું છે કે આરોપી છોકરાઓનો ઈરાદો સ્પસ્ટ નહોતો તેથી કરેલા કામનો એવો અર્થ ન નીકળે કે તેમનો ઈરાદો દુષ્કર્મનો હતો, તેમણે દુષ્કર્મની તૈયારી કરતું પગલું ભર્યું હતું પરંતુ વાસ્તવિક દુષ્કર્મ થાય તો જ તે ગુનો બને છે. હાઈકોર્ટે આ બન્ને વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. હાઈકોર્ટે દુષ્કર્મના ગુના માટે ‘તૈયારી તબક્કા” અને “વાસ્તવિક પ્રયાસ” વચ્ચેનો ફર્ક પણ સમજાવ્યો હતો.