વડાપ્રધાન નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનાં લોકોએ જાણો શું આપી પ્રતિક્રિયા ??
વડાપ્રધાન મોદીનું ચૂંટણી માટે ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી બે દિવસના ચુંટણી પ્રચાર કરીને વાતાવરણ જોશિલું બનાવી દીધું છે. ત્યારે ગઈકાલે જામનગરમાં વડાપ્રધાનને જાહેર સભા સંબોધિત હતી જેમાં વડાપ્રધાને જામસાહેબ સાથે મુલાકાત કરી હતી અને સભા દરમિયાન ક્ષત્રિયોના બલિદાનને યાદ કર્યું હતું ત્યારે આ મામલે ક્ષત્રિય સમાજના લોકોએ પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રોજ જામનગર ખાતે સભા સંબોધી હતી. જેમાં રાજપુત સમાજ ના જૂના વાતોને યાદ કરી હતી. તેમજ જામ સાહેબે પહેરાવે પધડીને લઈને પણ પેટ ભરીને વખાણ કર્યા હતા. ત્યારે રાજપુત સમાજની નારાજગીને લઈને પણ જણાવ્યું હતું કે નારાજગી છે પણ કોંગ્રેસને મત આપવો એ યોગ્ય નથી.
ક્ષત્રિય સમાજના લોકોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ સાથે તમારી એટલી લાગણી છે તો રૂપાલાની ટીકીટ રદ કેમ નો કરી હવે ક્ષત્રિય સમાજને રીઝવવાનાં પ્રયત્ન કરે છે. ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જ મતદાન કરશે. ક્ષત્રિય સમાજના રોષથી શું મતો પર ફેરફાર દેખાશે કે ફરી એક વાર ભાજપ જંગી મતોથી જીતશે ? તે પરિણામ હવે 4જૂન 2024ના રોજ ખબર પડશે.