Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર શાંત

Tue, September 17 2024

કાલે ૨૪ બેઠક માટે થશે મતદાન : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કોંગ્રેસ, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે: અમિત શાહ

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૮મીએ થવાનું છે અને એ પૂર્વે આજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. પ્રથમ તબક્કાની ૨૪ બેઠક માટે બુધવારે મતદાન થવાનું છે.આ તમામ મતવિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે પ્રચારના છેલ્લા દિવસે નેતાઓનો જમાવડો થયો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતાં કિશ્તવાડમાં રેલી કરી હતી. આ રેલીમાં અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે હવે કલમ 370 ઈતિહાસ બની ગઈ છે. તેમણે એવો દાવો કર્યો હતો કે જ્મ્મુ-કાશ્મીરમાં આતંકવાદને એવા સ્તરે દફનાવી દેવામાં આવ્યો છે કે હવે તે ફરી પાછો જીવંત થઈ શકતો નથી.

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર ‘પરિવારની સરકાર’ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં હવે ફરીથી સત્તામાં આવી શકશે નહીં. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના નેતા અમિત શાહે વારંવાર એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ અને તેની સહયોગી નેશનલ કોન્ફરન્સ (એનસી) આતંકવાદ પ્રત્યે કુણું વલણ ધરાવે છે અને જો આ પાર્ટીની ગઠબંધન સરકાર સત્તામાં આવશે, તો તેઓ આતંકવાદીઓ અને પથ્થરબાજોને જેલમાંથી મુક્ત કરશે. જોકે, તેમના દાવાને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પહેલા જ રદિયો આપ્યો છે.

સોમવારે પેડર-નાગસેની વિધાનસભા ક્ષેત્ર માટેની ચૂંટણી રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, અહીં ફરી એકવાર આતંકવાદને સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનસી અને કોંગ્રેસે તો વચન પણ આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ આ આતંકવાદીઓને છોડી દેશે. પરંતુ હું આજે તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની સરકાર (કેન્દ્રમાં) છે ત્યાં સુધી ભારતની ધરતી પર આતંકવાદ ફેલાવવાની કોઈ હિંમત નહીં કરે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદને એવા સ્તરે દફનાવી દેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે તે ફરી પાછો ફરી શકે નહીં. આજે હું આ ક્ષેત્રના તમામ શહીદોને યાદ કરું છું અને વચન આપું છું કે અમે આતંકવાદને એવી રીતે ખતમ કરીશું કે તે ફરી ક્યારેય ઉભરી ન શકે, એમ તેમણે કહ્યું હતું.

અમિત શાહે ફરી એક વખત કહ્યું હતું કે કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીરને ‘વિશેષ દરજ્જો’ આપ્યો હતો અને ઓગસ્ટ 2019 માં ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો, તેને પાછું લાવી શકાતું નથી કારણ કે કલમ 370 હવે ઇતિહાસ બની ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે જો કલમ 370 પાછી લાવવામાં આવશે તો ગુર્જરો અને પહાડીઓને આપવામાં આવેલું આરક્ષણ છીનવાઈ જશે.

તમે ચિંતા કરશો નહીં, કાશ્મીરની સ્થિતિ પર મારી નજર છે. અબ્દુલ્લા કે રાહુલની પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી શકશે નહીં, તે હું સુનિશ્ર્ચિત કરીશ, એમ તેમણે કહ્યું હતું.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તમામ ચિંતામાંથી રાહત મળશે,દિવસ તાજગી ભર્યો તેમજ આર્થિક લાભ થશે

Next

રિયલ એસ્ટેટને રાહત! જંત્રીદરનો વધારો મોકૂફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
11 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
11 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
11 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

ભગવતીપરાના પરિવારની હત્યા કરનાર સિરિયલ કીલર સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
5 મહિના પહેલા
ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ ટ્રમ્પ અને મોદી વિષે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
મેક્સિકોમાં ધરતી ધ્રુજી : 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, સદનસીબે કોઈ જાનહાની નથી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટને ઠંડીમાં રાહત, અમરેલી-નલિયામાં પારો ગગડયો
રાજકોટ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર