પતિને માર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું, જાવ મોદીને કહી દેજો : વડાપ્રધાન લાલઘૂમ, કહ્યુ જવાબદારોને છોડવામાં નહીં આવે
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, કે “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.” કોઈને પણ છોડવામાં નહીં આવે. આતંક સામેની અમારીમ લડાઈ ચાલુ જ રહેશે. વડાપ્રધાને સખત શબ્દોમાં આ હત્યાકાંડને વખોડીને કહ્યું કે આતંક સામે લડવાનો અમારો સંકલ્પ મજબૂત જ છે. આતંકીઓના ઈરાદા ક્યારેય સફળ થશે નહીં.
પતિને માર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું, જાઓ મોદીને કહી દેજો….
કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા માટે અહીં આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પદાવી અને નાના દીકરા સાથે ખીણમાં ફરવા આવ્યા હતા. હુમલાના ભયાનક દ્રશ્યને પાદ કરતાં પદાવીએ કહ્યું, અમે ત્રણ – હું, મારા પતિ અને અમારો દીકરો કાશ્મીર ગયા હતા. મને છે કે હુમલો બપોરે થયો હતો. અમે પહેલગામમાં નજર સામે જ તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. પદાવીએ કહ્યું કે તે હજુ પણ ખરાબ સ્વપન જેવું લાગે છે. પદછવીએ કહ્યુંમારી કે તે હજુ પણ ખરાબ સ્વપન જેવું લાગે છે.
પઠાવીએ જણાવ્યું કે હુમલા પછી તરત જ સ્થાનિક નાગરિકો તેની મદદ માટે આગળ આવ્યા અને લોકોના જીવ બચાવ્યા હતા. આતંકવાદીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા હતા અને ત્રણ-ચાર આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. પઠાવીએ કહ્યું, મેં તેમને કહ્યું – મને પણ મારી નાખો, તમે મારા પતિને મારી નાખ્યા છે, તેમાંથી એકે કહ્યું, અમે તને નહીં મારીએ, જા જઈને મોદીને કહી દેજે.

નિર્દોષ નાગરિકો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુખ થયું.” નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિદનીય કૃત્ય છે. એમણે કહ્યું કે ભારત આતંક સામે લડવા માટે હમેશા તૈયાર જ છે અને કોઈને પણ છોડવામાં આવશે નહિ. ભારતના દુશ્મનોને જડબાતોડ જવાબ અપાશે અને જવાનો તેનું કામ કરી જ રહ્યા છે.
હુમલો નિંદનીય, આતંકવાદ સામે લડવા દેશ એક : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્રિટ કરીને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા નાપાક આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હ્રદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું. આતંકવાદ સામે આખો દેશ એક છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે પોતાનો જીવ ન ગુમાવે.
ભયાનક અને મોટો હુમલો : ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંકની તપાસ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી સત્તાવાર માહિતી આપવામાં આવશે. કહેવાની જરૂર નથી કે, આ હુમલો તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો ભયાનક અને મોટો છે.
હુમલા પાછળ જે લોકો છે, તેને સજા મળશે : મનોજ સિન્હા
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિહાએ કહ્યું કે, હું પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાની સખત નિદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે, હુમલા પાછળના લોકોને સજા થશે. મેં પોલીસ મહાનિર્દેશક અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને પહેલગામમાં દાખલ લોકોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલ પ્રવાસીને જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યા છે. હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માનવતા વિરૂધ્ધ ગુનો : પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પહલગામમાં આતંકી હુમલાની કડક ટીકા કરતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને શરમજનક કૃત્ય છે. નિશસ્ત્ર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા એ માનવતા વિરુદ્ધ ગુનો છે, જે બિલકુલ અસ્વીકાર્ય છે. આખો દેશ આતંકવાદ સામે એક અને તેની સખત નિદા કરે છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું
હત્યારાઓને કડક સજા મળવી જોઈએ : ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલો ખૂબ જ નિદનીય છે અને તેના ગુનેગારોને કાયદા હેઠળ સૌથી કડકમાં કડક સજા થવી જોઈએ. અમે હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છીએ. મૃતકોના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલોના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.