કાશ્મીર: જવાનો પર લશ્કર એ તોયબાના 4 આતંકીઓએ હુમલો કર્યો હતો
સાજિદ જટ નામના આતંકીએ હુમલાખોરોને તાલીમ આપી હતી, તપસમાં ધડાકો
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં શનિવારે ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે ચાર જવાન ઘાયલ થયા હતા. આ દરમિયાન રવિવારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો હતો. , ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા લશ્કર-એ-તોઈબાના ચાર આતંકીઓ હતા. એમને આ માટેની તાલીમ સાજિદ જટે આપી હતી. તપાસમાં આ હકીકત બહાર આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એરફોર્સના કાફલા પર હુમલો શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ થયો હતો.ત્યારબાદ એરફોર્સની ગરુડ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં લગભગ 17 આતંકીઓ સાજિદ જટ જૂથના છે.
સેનાના અધિકારીઓને આશંકા છે કે, પૂંછમાં એ જ આતંકી જૂથે હુમલો કર્યો છે, જેમણે 21મી ડિસેમ્બર 2023માં બુફલિયાઝમાં સેનાના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. પૂંછમાં વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કરીને આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા.