કોઠારીયા રોડ પર કારખાનેદારના ઘરમાંથી રૂ.1.87 લાખની ચોરી
કારખાનેદાર પરિવાર સાથે મહીકા મિત્રની વાડીએ દિવાળી કરવા ગયા ત્યારે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું
રાજકોટમાં દિવાળીના તહેવાર પર બંધ પડેલા અનેક મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.જેમાં વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કોઠારીયા રોડ પર રહેતા કારખાનેદાર પરિવાર સાથે મહીકા મિત્રની વાડીએ તહેવાર કરવા માટે ગયા હતા.ત્યારે તેમના બંધ પડેલા મકાનનું તાળુ તોડી તસ્કરો રૂ.1.87 લાખના સોનાના ઘરેણા ચોરી કરી જતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ શહેરમાં કોઠારીયા રોડ પર રાજલક્ષ્મી સોસાયટી શેરી નંબર-12માં રહેતા અને રાજકોટ નેશનલ હાઇવે પર મીરા ઉદ્યોગમાં એરોટેક પંપ નામે કારખાનું ધરાવતા હર્ષદભાઈ વિનુભાઈ સોરઠીયા (ઉ.વ.37)એ દિવાળીના તહેવાર પર પરિવાર સાથે મહીકા મિત્રની વાડીએ રોકવા માટે ગયા હતા.ત્યારે તેમના પાડોશીએ મકાનનું તાળુ તૂટ્યાની વાત કરતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા.અને મકાનમાં તપાસ કરતા કબાટમાં રાખેલા અલગ અલગ સોનાના ઘરેણા જેની કિંમત રૂ.1.87 લાખની મતા ચોરી થયા હોવાનું માલુમ પડતા બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરતા પીએસઆઈ આર.કે.સામુદ્રે દ્વારા ગુનો નોંધી સીસીટીવી આધારે તસ્કરોનું પગેરું મેળળવા તપાસ હાથધરી છે.