અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. સવારે કોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ દ્વારા 38 આતંકીઓને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. જે બાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે આ માગણી સ્વીકારીને સજાના અમલ પર 3 મહિના સુધી રોક લગાવી દીધી છે. હવે આ સમયગાળા દરમિયાન આરોપીઓ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદના 20 અલગ-અલગ સ્થળોએ થયેલા 21 બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
