સંસદનું બજેટ સત્ર એક દિવસ લંબાશે, હવે 9મીના બદલે 10 મી તારીખ સુધી ચાલશે
સંસદનું બજેટ સત્ર એક દિવસ લંબાશે, હવે 9મીના બદલે 10 મી તારીખ સુધી ચાલશે
સંસદનું બજેટ સત્ર અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૯મી ફેબ્રુઆરી સુધી ચાલવાનું હતું પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે અને સત્ર એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
હવે સંસદનું સત્ર ૧૦મી ફેબ્રુઆરી સુધી ચાલશે. હજુ પણ બંને ગૃહોમાં કેટલાક જરૂરી કામકાજ થઈ શકે છે અને એવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી કે, દેશના અર્થતંત્રના મુદ્દા પર સંસદમાં શ્વેતપત્ર રજૂ થઈ શકે છે. સરકારના અંતરંગ વર્તુળો દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી.
બેન્કિંગ અને અન્ય કંપનીઓની અવસ્થા અને તેના અંગેની માહિતી તેમજ અર્થતંત્રને લગતી કેટલીક જરૂરી માહિતી શ્વેતપત્રમાં આપવામાં આવે તેવી સાંભવના છે.