જગતના તાત માટે ખુશીના સમાચાર : ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત, ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરી આપી માહિતી
કમોસમી વરસાદથી જગતના તાતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પાટે સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી છે. માવઠાથી મગફળી સહિતના વિવિધ પાકોમાં ભારે નુકસાની થવા પામી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કર્યા બાદ સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખેડૂતો માટે 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેની માહિતી મુખ્યમંત્રીએ ‘એક્સ’ પર આપી હતી.
ખેડૂતોની પડખે રાજ્ય સરકાર
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
આ પણ વાંચો :આજે મધ્યરાત્રીથી આકાશમાં લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો જોવા મળશે: નરી આંખે જોઈ શકાશે ઉલ્કાવર્ષા
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
