સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, અમરેલીના 20 રસ્તાનો વાહન વ્યવહાર હજુ શરૂ નથી થયો
ગુજરાતમાં એક મહિના સુધી મેઘરાજાએ તાંડવ મચાવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી પોરો ખાધો છે પરંતુ હજુ રાજ્યમાં એક નેશનલ હાઈ-વે સહિત ૭૫ જેટલા રાજમાર્ગો પરિવહન માટે બંધ હોવાનું જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ૨૬ રાજમાર્ગ પરનો વાહન વ્યવહાર હજુ શરૂ થયો નથી જેના કારણે અનેક ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જુલાઈ માસમાં મેઘરાજાએ ત્રણ-ત્રણ રાઉન્ડ લઈને સમગ્ર રાજ્યને ધમરોળી નાખ્યું હતું. ભારે વરસાદના કારણે રોડ રસ્તાનું મોટાપાયે ધોવાણ થઈ ગયું હતું અને ૧૦૦૦થી વધુ રાજમાર્ગોમાં મસમોટા ગાબડા પડ્યા હતા. જ્યારે અમુક સ્થળે તો રસ્તા ધોવાઈ ગયા હતા.
આ પણ વાંચો: ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું
ભારે વરસાદના કારણે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે આજે ૧૫ દિવસ પછી પણ રાજ્યના છોટા ઉદેપુરનો નેશનલ હાઈ-વે, ગાંધીનગરનો સ્ટેટ હાઈ-વે સહિત હજુ રાજ્યના ૭૫ રાજમાર્ગો આજે પણ વાહન વ્યવહાર માટે બંધ હોવાના કારણે પરિવહન ખોરવાયું છે.
જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ગ્રાય પંથકના ૨૬ રાજમાર્ગો ૧૫ દિવસથી બંધ છે. જ્યારે ખેડાના ૫, આણંદના ૬, અરવલ્લીના ૬, ગાંધીનગરના ૬, બનાસકાંઠાના ૩, પાટણના ૩, વડોદરાના ૬, છોટા ઉદેપુરના ૫, નર્મદા જિલ્લાના ૬, પંચમહાલના ૬, સુરતના ૩, નવસારીના ૩, વલસાડના ૨, મોરબીના ૨, સુરેન્દ્રનગરના ૯, જૂનાગઢના ૬ અને અમરેલીના ૩ રસ્તા બંધ હોવાનું જાણવા મળ્યું છે.
