ભારતના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિહ આગામી રજી ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા ક્રીક વિસ્તારની મુલાકાતે આવનાર છે. ઓપરેશન સિદૂર વખતે પાકિસ્તાન સાથે ઉભી થયેલી તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ખુબ અગત્યની રક્ષામંત્રીની ભારતીય સૈન્યદળના કાર્યક્રમની આ મુલાકાતને લઈને રક્ષા મંત્રાલય દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં ગતિવિધિઓ તેજ બનાવી દેવાઈ છે.
ઓપરેશન સિદૂર ટાંકણે અપાયેલા સીઝફાયર વચ્ચે 16મી મે, 2025ના રોજ ભુજના હવાઈ મથકની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી ભુજનું નામ જે પરથી પડયું તે ભુજિયા ડુંગર પર, વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં માર્યા ગયેલા દિવંગતોની સ્મૃતિમાં બનાવાયેલાં સ્મૃતિ વન અને અર્થકવેક મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચો :સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવશે ગુજરાત : 2 ઓક્ટોબરે કચ્છની મુલાકાતે લેશે, સરહદ સુધી જશે
આ વેળાએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી સિહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માત્ર પાંચ મહિનાના ટૂંકાગાળામાં રક્ષામંત્રી કચ્છની સંવેદનશીલ સરહદની મુલાકાતે આવનારા હોઈ, તંત્ર સાબદું બન્યું છે.
આ પણ વાંચો :શું રાજકોટમાં સર્કલો પર પોલીસ હોતી જ નથી? ટ્રાફિક સિગ્નલો તોડનારાઓને જાણે ડર જ નથી
પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષનો જીવ ગયો હતો. ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાન સામે ઑપરેશન સિદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાની આતંકવાદી અઠ્ઠાઓને નેસ્તનાબૂદ કર્યા હતા. આ મુદ્દો આતંરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાયો હતો. આ સમયે કચ્છ હાઈએલર્ટ પર હતું અને કચ્છમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને કચ્છમાં તોડી પડાયા હતા.
