VIDEO : કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોટયા, મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મુંબઈ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. 12 સપ્ટેમ્બરના રોજ અહીં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી., શુક્રવારે, એક વિમાને કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટના Q400 વિમાને સફળતાપૂર્વક ઉડાન ભરી હતી, ત્યારબાદ એવું જોવા મળ્યું હતું કે વિમાનનું બહારનું વ્હીલ રનવે પર મળી આવ્યું હતું. આ ઘટના બાદ હંગામો મચી ગયો હતો. જોકે, વિમાને મુંબઈની સફર ચાલુ રાખી હતી. મુંબઈ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અહીં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. હાલમાં, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
મોટી દુર્ઘટના ટળી
સ્પાઇસજેટના આ વિમાનમાં 75 મુસાફરો સવાર હતા. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 સપ્ટેમ્બરના રોજ કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q400 વિમાનનું એક બાહ્ય વ્હીલ ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની સફર ચાલુ રાખી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. સરળ ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સામાન્ય રીતે નીચે ઉતર્યા.
વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બપોરે 3:51 વાગ્યે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનને રનવે 27 પર લેન્ડ કરવામાં આવ્યું હતું અને રાહતની વાત એ હતી કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત હતા.
આ પણ વાંચો :સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા
આ આગાઉ પણ અનેક ફ્લાઇટમાં નાની-મોટી ખામી હોવાની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયમાં વધારો થયો છે ત્યારે કંડલાથી મુંબઈ વ્હીલ રણવે પર મળી આવવા મામલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’
આ પણ વાંચો :ચેતજો! રાજકોટમાં વેપારીએ વૉટસએપ પર RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કર્યું’ને લાખો રૂપિયા સ્વાહા! જાણો શું છે મામલો
બધા મુસાફરો સુરક્ષિત
તમને જણાવી દઈએ કે ટેકઓફ દરમિયાન વિમાનનો કોઈપણ ભાગ અલગ થઈ જવો સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક બની શકે છે. જોકે, પાઇલટની સમજદારી અને ક્રૂ સભ્યોની તત્પરતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. એરલાઇને ખાતરી આપી છે કે મુસાફરોની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે.
