Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રઝળતા શ્વાનોને નસબંધી અને રસીકરણ બાદ મૂળ વિસ્તારમાં પાછા મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Sat, August 23 2025

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી-એનસીઆરમાં શ્વાનોના મુદ્દે 8 ઓગસ્ટના વિવાદાસ્પદ આદેશમાં સુધારો કરીને રઝળતા શ્વાનોને પકડીને રસીકરણ અને નસબંધી કર્યા બાદ તેમને તેમના મૂળ વિસ્તારમાં પાછા મૂકવાનો આદેશ કર્યો હતો. જોકે, રેબીઝથી સંક્રમિત અથવા આક્રમક વર્તન ધરાવતા શ્વાનોને રસીકરણ બાદ અલગ શેલ્ટરમાં રાખવામાં આવશે. આ નિર્ણયનું પશુપ્રેમીઓએ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું છે.

wikipedia



ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની દિશામાં પણ પગલાં લેવાની જાહેરાત કરી અને કહ્યું કે આ મામલે વિગતવાર સુનાવણી બાદ રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવશે.

નોંધનીય છે કે આ કેસને મુખ્ય ન્યાયાધીશે ત્રણ ન્યાયાધીશોની બેન્ચને સોંપ્યો હતો, જે એક દુર્લભ પગલું ગણાય છે, કારણ કે 8 ઓગસ્ટના આદેશે ન્યાયમૂર્તિ પારડીવાલાની બેન્ચે આપેલા નિર્ણયથી ભારે વિવાદ થયો હતો. કોર્ટે આદેશ આપ્યો કે શ્વાનોને જાહેરમાં ખોરાક આપવાની સખત મનાઈ છે અને આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શ્વાનોને ખોરાક આપવા માટે નિયુક્ત સ્થળો નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, પશુપ્રેમીઓને શ્વાનોને દત્તક લેવા માટે અરજી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેમની જવાબદારી રહેશે કે દત્તક લીધેલા શ્વાનો ફરી રસ્તા પર ન આવે. કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે આ મુદ્દે અરજી કરનાર વ્યક્તિઓએ 25,000 રૂપિયા અને એનજીઓએ 2 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. સુપ્રીમ કોર્ટે દેશભરની અન્ય હાઈકોર્ટમાં લંબિત આવી અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો નિર્ણય પણ લીધો છે, જેથી રાષ્ટ્રીય નીતિ ઘડી શકાય.

આ પણ વાંચો : રાજકોટના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો ડામરથી મઢી દેવાશે : 5.81 કરોડના ખર્ચે નવું ડામરકામ તેમજ પેવિંગ બ્લોક પથરાશે

8 ઓગસ્ટનો આદેશ શું હતો ?

8 ઓગસ્ટના આદેશમાં ન્યાયમૂર્તિ પારડીવાલાની બેન્ચે દિલ્હી-એનસીઆરની નાગરિક સત્તાવાળાઓને તમામ રઝળતા શ્વાનોને આઠ અઠવાડિયામાં પકડીને શેલ્ટરમાં રાખવામાં આવે અને તેમને ફરી રસ્તાઓ પર ન મૂકવાનો આદેશ આપ્યો હતો. નાગરિક સત્તાવાળાઓને ઓછામાં ઓછા 5,000 શ્વાનોની ક્ષમતા ધરાવતા શેલ્ટર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શેલ્ટરમાં રાખવામાં આવેલા શ્વાનોના કલ્યાણ માટે સુરક્ષા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. આ આદેશ શ્વાનોના કરડવાના વધતા કેસો અને રેબીઝના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો હતો. સરકારી આંકડા અનુસાર, 2024માં દિલ્હીમાં 25,000 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા, જેમાંથી 3,000થી વધુ કેસ જાન્યુઆરી 2025માં નોંધાયા હતા.

Share Article

Other Articles

Previous

જેલમાંથી સરકાર નહીં ચાલે : મોદીનો ધ્રુજારો, વિપક્ષો પર બોલાવી તડાપીટ

Next

રાજકોટના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો ડામરથી મઢી દેવાશે : 5.81 કરોડના ખર્ચે નવું ડામરકામ તેમજ પેવિંગ બ્લોક પથરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
14 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
14 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
14 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

આતંકી હુમલા અંગે વડાપ્રધાન મોદીએ મન કી બાતમા શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મકાનને બદલે ખુલ્લી જમીન દર્શાવી વેચાણ દસ્તાવેજ કરનાર સામે થશે ફોજદારી : રાજકોટમા 37 દસ્તાવેજમા સરકાર સાથે દગાબાજી આવી સામે
ક્રાઇમ
6 મહિના પહેલા
કુસ્તીબાજ અમન સેહરાવતે ધમાકેદાર રીતે સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ… મેડલથી એક ડગલું દૂર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
RMCના કેલેન્ડર છપાવવામાં કૌભાંડ થયું છે ? કમિટી કરશે તપાસ, કેલેન્ડરની ક્વોલિટી-વિતરણ સહિતના મુદ્દે ચકાસણી
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર