ઓર્ડર-ઓર્ડર : રાજકોટમાં ચાલુ કોર્ટે જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે થઈ ફડાકા વાળી! જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે ચાલુ કોર્ટે જજની સામે ખુલા હાથની મારામારી સર્જાઈ હતી. હત્યાની સુનાવણી દરમિયાન ચાલતી ડોકટરની ઉલટ તપાસ વચ્ચે મામલો ગરમાયો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સેશન્સ કોર્ટમાં જજ સામે જ કાયદાના લીરે લીરા ઊડતાં વકીલ આલમમાં અનેક ચર્ચા શરૂ થવા પામી છે.
શહેરના જામનગર રોડ પર આવેલી કોર્ટે પરિસરમાં આવેલી જજ એ.એક શાહની કોર્ટમાં સોમવારે સાંજના ૫ વાગ્યા આસપાસ એક હત્યા કેસની સુનાવણી ચાલી રહી હતી.આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા.જયારે આરોપી વતી એડવોકેટ કમલેશ.એમ.મહેતા રોકાયેલા હોય અને કેસમાં ડોકટરની ઉલટ તપાસ એડવોકેટ મેહતા કરી રહ્યા હતા. દરમિયાન એસ.કે વોરા અને એડવોકેટ મહેતા વચ્ચે ઉલટ તપાસને લઈને ઝઘડો થયો અને જોત જોતામાં આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે વોઈસ ઓફ ડે સાથે વાત કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરાએ જણાવ્યું હતું કે, ડોકટરની જુબાની દરમિયાન તેઓ દ્વારા વાંધા લેવામાં આવતા આ વાત એડવોકેટ મહેતાને ખટકી હતી દરમિયાન અચાનક તેઓએ પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે તેના પર હિચકારો હુમલો થયો હતો અને બે-ત્રણ ઘુસા મારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના
સમગ્ર ઘટના જજ એ.એક.શાહ તેમજ કોર્ટના બે કર્મચારી અને જુબાની આપતા ડોકટર સામે બની હતી. તેઓને માર મારતા કોઇ ગંભીર ઇજા પહોંચી નથી જેથી હાલ તેમના દ્વારા કોઇ ફરિયાદ નોંધાવાઈ નથી. બીજી તરફે ઘટના અંગે એડવોકેટ કમલેશ.એમ.મહેતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા થઈ શક્યો ન હતો. જ્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, ઉલટ તપાસમાં ડોકટર આરોપીને લાભ મળી શકે તેવું નિવેદન આપતાં હોય જેથી ઉશ્કેરાઈને જીલ્લા સરકારી વકીલ એસ. કે.વોરા દ્વારા એડવોકેટ કમલેશ.એમ મહેતાને ચાલુ કોર્ટે ત્રણ-ચાર ફડાકા ઝીંકી દેવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે બંને વકીલો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Gold Rate Fall: ટ્રમ્પની આ જાહેરાતથી અચાનક સોનું થયું 1400 રૂપિયા સસ્તું! એક ઝાટકે ભાવ ઘટ્યા,જાણો શું કર્યું એલાન
બંને વચ્ચે આગાઉ પણ બોલાચાલી થતી અને આખરે મામલો મારામારી સુધી પહોંચ્યો..!
રાજકોટ સેશન્સ કોર્ટમાં બે વકીલો થયેલી મારામારીને લઈને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા અને એડવોકેટ કમલેશ.એમ મહેતા વચ્ચે આગાઉ પણ અનેક વાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે કેસને લઈને પણ કોર્ટમાં માહોલ ગરમ રહેતો ત્યારે આ ગરમાવો આખરે મારામારી સુધી પહોંચી જ ગયો. જો કે બંને પક્ષો દ્વારા એક બીજા પર પેહલા હુમલો કરવાના આક્ષેપો થયા છે. બીજી બાજુ કોઈ પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી પણ ન્યાયમંદિરમાં થયેલી આ ઘટના આક્ષેપો સુધી જ સીમિત રહેશે કે પછી તપાસ કરી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે ? તે જોવાનું રહ્યું.
