હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
હીરાસર એરપોર્ટ હવેથી 24 કલાક ચાલુ રહેશે. 30 જૂન પછી પણ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને 24 કલાક ખુલ્લું રાખવા દિલ્હી ઓથોરિટીથી ગ્રીન સિગ્નલ મળ્યું છે.પાકિસ્તાનએ ભારતીય એરલાઇન્સ માટે એરોસ્પેસ બંધ કરતાં આ આપત્તિ રાજકોટ એરપોર્ટ માટે અવસર બની હોય તેમ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ થશે તેવી સૂત્રોએ આશા વ્યક્ત કરી હતી. 23મી જૂન સુધી પાક દ્વારા નોટમ રિલીઝ કરાયું હતું. 29મી જૂને રાજકોટ એરપોર્ટ નવું નોટમ જાહેર કરશે.

છેલ્લા બે મહિનાથી રાજકોટ એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેતું હોવાથી અનેક ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે રાજકોટનું એરપોર્ટ વૈકલ્પિક બન્યું હોવાથી અહીં ઈમર્જન્સી લેન્ડિંગ માટે એરલાઈન દ્વારા સ્ટેન્ડ બાય કે સ્ટોપ ઓવર તરીકે રાજકોટને પસંદ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Mobile Manners : પબ્લિક પ્લેસમાં અવાજના આતંકવાદીઓથી તમે પણ છો પરેશાન? આ છે તેમને સુધારવાની ટીપ્સ
અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત એરપોર્ટ હોવાને કારણે અહીં લેન્ડિંગ શક્ય નથી ત્યારે મિડલ ઇસ્ટનાં દેશો તરફ ઉડાન ભરતી ફલાઈટ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વૈકલ્પિક બન્યું છે. જો કે અત્યારે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા એરસ્પેસ ભારતીય વિમાનો માટે નહીં ખુલે ત્યાં સુધી એરપોર્ટ 24 કલાક ઓપન રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજકોટ એરપોર્ટનો વોચ અવર્સ સવારે ૬ વાગ્યાથી રાત્રે 8.30વાગ્યા સુધીનો હતો. અઠવાડિયામાં બે દિવસ 09:00 વાગ્યા સુધી ચાલુ રહેતું. જ્યારે હવે બે મહિનાથી 24 કલાક માટે એરપોર્ટ ચાલુ છે.

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ માટે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેતા મિડલ ઇસ્ટના દેશો માટે ઉડાન ભરતી ખાસ કરીને દિલ્હીથી દુબઈ સહિતની ફલાઇટ લાહોર અને કરાંચીનો નેવિગેશન રૂટ વાપરે છે. આથી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા એવીએશન મંત્રાલયને આ અંગે જાણ કરીને ઇંધણ અને મેડિકલ ઈમરજન્સી માટે હીરાસર એરપોર્ટમાં લેન્ડિંગ આપવા પ્રસ્તાવ રખાયો હતો.
અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી
ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરે છે, આ સેક્ટર માટે પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો.અમદાવાદ એરપોર્ટને ઇમરજન્સી માટે એપ્રોચ કરાયો હતો પણ ત્યાંનું એરપોર્ટ સતત વ્યસ્ત હોવાથી ના કહેતાં ઈન્ડિગો એરલાઇનએ રાજકોટ એરપોર્ટ માટે ભલામણ કરી છે.