ગુજરાત અને ભારતની ગૌરવવંતી ક્ષણ : વડનગરમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી સર્જ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025, શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા.“યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી જેમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નિમિત્તે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે રાજ્યસ્તરીય યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 2,000 થી વધુ સહભાગીઓએ સાથે મળીને ભુજંગાસન કર્યું હતું અને એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડનગરના મનોહર શર્મિષ્ઠા તળાવ પર 2,121 લોકોએ એકસાથે ‘ભુજંગાસન’ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને મેદસ્વીતાથી દુર રહેવા કરેલા આહ્વાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો હતો જેના ભાઞ રૂપે રાજ્ય ભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું.

ભુજંગાસનના ફાયદાઃ
- ભુજંગાસન કરવાથી શરીર લચીલું બને છે, ખાસ કરીને કમરના સ્નાયુઓ લચીલા બને છે.
- જો કમર પર કોઈપણ પ્રકારની જકડાઈ હોય તો તે દૂર થઈ જાય છે અને કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
- આ યોગાસન કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે.
- રક્ત પ્રવાહ સુધરે છે.
- ખભામાં જડતા મટે છે.
આ પણ વાંચો : પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ડાર્ક ચોકલેટ શા માટે ખાવી જોઈએ? ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

- શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ આ આસન કરીને રાહત મેળવી શકાય છે.
- ભુજંગાસન કરવાથી શરીર ડિટોક્સ થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે.
- તાજગીનો અનુભવ થાય છે.Share:
- રક્ત પ્રવાહ સુધરે છે.
- ખભામાં જડતા મટે છે.
- શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ આ આસન કરીને રાહત મેળવી શકાય છે.
- ભુજંગાસન કરવાથી શરીર ડિટોક્સ થાય છે, જેની અસર ત્વચા પર પણ જોવા મળે છે.
- તાજગીનો અનુભવ થાય છે.
ડિસ્ક્લેમર : સલાહ સહિતની આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.