કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
વિધિની વક્રતા તો કેવી પત્નીનાં અસ્થિ વિસર્જન માટે લંડનથી ખાસ ગુજરાત આવેલાં યુવકનું અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં જિંદગી છીનવાઇ ગઈ તો સાથે બે નાની પરીઓ જેવી દીકરીઓનાં મમ્મી અને પપ્પા એક સાથે છીનવાઇ ગયા.આ બંને દીકરીઓની જવાબદારી લંડનના ગુજરાતી સમાજે ઉપાડી લીધી છે અને બંને પુત્રીઓનાં ભવિષ્ય માટે ત્રણ દિવસમાં 5.69 પાઉન્ડ ભારતીય ચલણમાં 6 કરોડનું ફંડ એકત્ર કરી દીધું છે.

આ ઘટનાના 6 દિવસ બાદ પણ હજુ બંને દીકરીઓ તેના પપ્પાનાં નિધનથી અજાણ છે.હજુ તો મમ્મીને વિદાય લીધા એનાં ગણતરીના દિવસોમાં પપ્પા પણ આખરી સફર પર ચાલ્યા ગયા છે.અમરેલી જિલ્લાનાં વડીયા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મેલા અર્જુનભાઈ પટોળીયાએ નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાથી વહેલાસર તેના પર પરિવારની જવાબદારી આવી ગઈ હતી આથી અર્જુન અને તેનો પરિવાર સુરત સ્થાયી થયા હતા. જ્યાં ગુરુકુળમાં અભ્યાસ કરવાની તક મળતા ત્યાં ભણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુની.માં ગ્રેજ્યુએશન કરી વધુ અભ્યાસ માટે લંડન ગયા ને ત્યાં જ સેટલ થઈ ગયેલા અર્જુન પટોળીયાને કચ્છની યુવતી ભારતીબેન સાથે પ્રેમ થઈ જતાં લગ્ન કરી લીધા હતા.બે પુત્રીઓના જન્મ સાથે ખુશી ખુશી રહેતા આ પરિવારમાં જાણે કે નજર લાગી હોય એમ 4 વર્ષ પૂર્વે પત્નીને કેન્સરનું નિદાન થયું હતું.

લંડનમાં અર્જુનભાઇ ગુજરાતી વેપારીની ફર્નિચર કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા હતા. એક તરફ પત્નીની કેન્સર માટેની સારવાર અને ચાર અને આઠ વરસની બે દીકરીઓના ઉછેરની જવાબદારી.આ તમામ સંજોગ વચ્ચે ભારતીબેનએ 26 મે ના રોજ કેન્સર સામે જંગ હારી જતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં અસ્થિ પધરાવવા માટે નર્મદા કિનારે આવ્યા હતા.અસ્થિ વિસર્જન કરી 12 જૂને લંડન જવા આ ફલાઇટમાં બેઠાં અને પત્નિની સાથે અર્જુનભાઈએ અનંત વાટ પકડતાં બંને દીકરીઓએ એક સાથે મમ્મી-પપ્પાની છત્રછાયા ગુમાવી છે.
આ પણ વાંચો : કુદરતનો ખેલ તો જુઓ! પતિ અને પત્નીના મૃતદેહે પણ ન છોડ્યો એકબીજાનો સાથ, DNA પ્રોસેસમાં પણ એકબીજાની બાજુમાં
પપ્પા હજુ ઇન્ડિયા છે,દીકરીઓ વાતથી અજાણ
18 દિવસમાં બંને માસુમએ મમ્મી-પપ્પા ગુમાવી દીધા છે,બંને દીકરીઓ લંડન છે હજુ તેને પિતાનાં મૃત્યુ અંગે જાણ કરાઈ નથી.પિતાએ કહ્યું હતું કે,હું મમ્મીના અસ્થિ વિસર્જન કરીને થોડા દિવસમાં આવી જવું છે….આથી બંને બાળકીઓને તો પપ્પા ઇન્ડિયા છે એવી જ વાતની જાણ છે.અર્જુનભાઈના માતા કંચનબેન વડીયા અને સુરત રહે છે જ્યારે તેમનો નાનો ભાઈ ગોપાલ લંડનમાં રહે છે,અત્યારે નાના ભાઈ લંડનથી અમદાવાદ આવ્યા છે.
દિકરીઓનાં ભવિષ્ય માટે ગુજરાતીઓએ ઝુંબેશ ચલાવી,આ વિચાર અર્જુનભાઇનાં માલિકને આવ્યો
વિનોદ ખીમજી અને હિતેન ખીમજીની ફર્નિચર કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા હતા તેમને આ બંને દીકરીઓના ભવિષ્ય માટે વિચાર આવ્યો અને તેમને ફંડ એકત્ર કરવા માટે લંડનના ગુજરાતી સમાજમાં અપીલ કરી હતી. આ સાથે અર્જુનભાઈ પટોળીયાની પ્રાર્થના સભા પણ ગુજરાતી સમાજ દ્વારા યોજાય હતી. આ આપીને અનુલક્ષીને લંડનમાં રહેતા 14 હજાર જેટલા ગુજરાતી લોકોએ ત્રણ દિવસમાં 5.69 પાઉન્ડ ફંડનું લોકોએ દાન કર્યું છે.