ઋષભ શેટ્ટી માંડ-માંડ બચ્યા : kantara 2ના શૂટિંગ વખતે 30 ક્રૂ મેમ્બર ભરેલી હોડી પલટી, આ પહેલા પણ થઈ ચૂક્યા છે અકસ્માત
ફિલ્મ ‘કાંતારા’ ની સિક્વલ ‘કાંતારા ર’ ટૂંક સમયમાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે, પરંતુ આ ફિલ્મના સેટ પર દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સેટ પર શૂટિગ દરમિયાન એક મિમિક્રી કલાકારને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. આ પહેલા પણ સેટ પર એક કલાકારનું મૃત્યુ થયું હતું. થોડા દિવસો પહેલા, 30 લોકોથી ભરેલી બસ અકસ્માત થયો. ફરી એકવાર, ‘કાંતારા-2’ના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના બની, 30 ક્રૂ મેમ્બરોથી ભરેલી હોડી પલટી ગઈ અને લોકોના જીવ જોખમમાં મુકાયા. અભિનેતા ઋષભ શેટ્ટી પણ આ હોડીમાં હતા.

અહેવાલો અનુસાર, શિવમોગા જિલ્લાના મસ્તી કટ્ટે વિસ્તારના મણિ જળાશયમાં ‘કાંતારા-2’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક દ્રશ્યનું શૂટિંગ થવાનું હતું. તે દરમિયાન, બોટમાં સવાર ઋષભ શેટ્ટી સહિત 30 લોકો પાણીમાં પડી ગયા. બોટ અચાનક અસંતુલિત થઈ ગઈ અને પલટી ગઈ. જોકે, બધા સ્વસ્થ છે. કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. અભિનેતા સહિત 30 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Leeds Test : બુમરાહ-સિરાજ-જાડેજા પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક, 73 વર્ષ જૂના મેગા રેકોર્ડને તોડી શકશે ત્રણેય બોલર?
કંતારા-2 ના સેટ પર થયેલા અકસ્માત
- 12 જૂન, 2025ના રોજ, કંતારા-2ના સેટ પર મિમિક્રી કલાકાર કલાભવન નીજુનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
- આ પહેલા 6 મે ના રોજ, ફિલ્મ કંતારા 2 ના જુનિયર કલાકાર એમએફ કપિલનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કંતારા-2 ના શૂટિંગ દરમિયાન લંચ બ્રેક દરમિયાન કપિલ તરવા ગયો હતો, જ્યાં જોરદાર કરંટને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ સમાચાર બહાર આવતાની સાથે જ ફિલ્મ ફેડરેશને નિર્માતાઓ અને આ મામલા સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
- આ ઉપરાંત, થોડા સમય પહેલા શૂટિંગ સ્થળ પરથી પરત ફરતી વખતે જુનિયર કલાકારોને લઈ જતી એક બસ પલટી ગઈ હતી અને ભારે તોફાન અને વરસાદને કારણે સેટને પણ નુકસાન થયું હતું.