અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઇમરજન્સી સમયે જ મુસાફરોના ઇમરજન્સી કોન્ટેક્ટ નહોતા, પોતાનો જ નંબર કર્યો’તો એડ
ઘણી વાર ટ્રેન કે વિમાનમાં યાત્રા કરી રહેલા મુસાફરો જયારે ટીકીટ બુક કરાવે ત્યારે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબરમાં પોતાનો જ નંબર લખતા હોય છે પરંતુ જયારે આવી કટોકટી જેવી સ્થિતિ ઉભી થાય ત્યારે સરકારી તંત્ર મુશ્કેલીમાં મુકાય જાય છે. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં પણ એવું જ થયું છે. મોટાભાગના લોકોએ ઈમરજન્સી કોન્ટેક્ટમાં પોતાના જ નંબર જ લખ્યા હતા અને દુર્ઘટના પછી એ નંબરોમાં જાણ કરવા માટે પ્રયાસ કર્યો તો કોઈ ફોન લાગ્યા જ નહી.વિમાન ક્રેશ થયું તેમાં મુસાફરોના મોબાઈલ પણ બળી ગયા હતા અથવા ડેમેજ થઇ ગયા હતા.

સિસ્ટમમાં રહેલા નાના-નાના છીંડા સામાન્ય રીતે દેખાતા નથી અથવા તો તેની સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે આ જ છીંડા મોટા ગાબડા જેવા દેખાય છે, અને આવું જ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટની દુર્ઘટના બાદ જોવા મળ્યું હતું. પ્લેન ક્રેશ બાદ મદદ માટે સામે આવેલા સ્વયંસેવકોએ પેસેન્જર્સના પરિવારજનોને જાણ કરવા માટે કોલ કર્યા હતા પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તેમને કોઈ જવાબ મળ્યો ન હતો, કેમ કે ઘણા પેસેન્જર્સે ઈમર્જન્સી નંબરમાં પોતાનો જ નંબર એડ કર્યો હતો.

પ્લેન ક્રેશ થયું તે સાથે જ તેમાં બ્લાસ્ટ થયો હોય તેવી સ્થિતિ હતી જેના કારણે પ્લેનમાં સવાર મોટા ભાગના પેસેન્જર્સ બળીને ભડથું થઈ ગયા હતા, અને તેમની સાથે તેમના ફોન પણ બળીને ખાક થઈ ગયા હતા. તેવામાં અન્ય કોઈ વૈકલ્પિક કોન્ટેક્ટ ઉપલબ્ધ ન હોવાના કાણે અધિકારીઓએ પેસેન્જર્સના નજીકના સંબંધીઓને શોધવા માટે દોડાદોડ કરી હતી, પરંતુ આ ભયાનક દુર્ઘટનાના સમાચાર તેમના સુધી પહોંચાડવામાં વિલંબ થયો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે આવી અવગણનાને લીધે ટિકિટિંગ સિસ્ટમ ઈમર્જન્સી કોન્ટેક્ટ ડિટેઈલ્સને કેવી રીતે હેન્ડલ કરે છે તે માટે ફરીથી વિચાર કરવો પડશે.
આ પણ વાંચો : ભૂતો…ન ભવિષ્યતિ… રાજકોટને આવાં ‘નેતા’ નહિ મળે : નિવાસસ્થાને દર્શન માટે લોકોની કતાર લાગી
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક મોટો પડકાર હતો કેમ કે, 70 ટકા કિસ્સાઓમાં ઈમર્જન્સી કોન્ટેક્ટમાં પણ ફક્ત પેસેન્જરનો જ નંબર લિસ્ટેડ હતો, તેથી જ્યારે ઈમર્જન્સી કોન્ટેક્ટ પર કોલ કરવામાં આવ્યો ત્યારે કોલ્સનો કોઈ જવાબ મળ્યો ન હતો, કેમ કે તે ફોન તો ક્રેશ સાઈટ પર હતા, અથવા તો ડેમેજ થઈ ગયા હતા અથવા તો ખોવાઈ ગયા હતા.
એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને તેમાં ઘણા ફોરેન સિટિઝન્સ પણ સવાર હતા, જેના કારણે તે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે પણ તેની ગંભીર નોંધ લેવામાં આવી છે. ઘણા સંબંધીઓ હોસ્પિટલો અને હેલ્પ સેન્ટર્સ ખાતે પોતાના પ્રિયજનોને શોધવા માટે આવ્યા હતા. જોકે, વેલિડ ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર્સ ન હોવાના કારણે અધિકારીઓએ સ્થાનિક વહિવટી અધિકારી પર આધાર રાખવો પડ્યો હતો.