પંજાબમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
પઠાણકોટ પાસે ગામમાં ઉતરાણ થયું ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકત્ર થઈ ગયા; જવાનોએ વિસ્તારને ઘેરી લીધો; સબ સલામત
પંજાબના પઠાણકોટના નાંગલપુર પોલીસ સ્ટેશનના હાલેડ ગામમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું છે. જો કે, હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
ભારતીય વાયુસેનાના અપાચે એટેક હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર ઉતરતાં જોઈ ગામ લોકો ઘટના સ્થળ પર એકત્ર થયા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો. વાયુસેના કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઈમરજન્સી લેન્ડિંગના કારણ વિશે કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
સ્થળ પર હાજર વરિષ્ટ અધિકારીઓએ ઓપરેશનલ અને સુરક્ષા પ્રોટોકોલનો હવાલો આપી કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે, જાહેર સલામતી કે માળખાગત સુવિધાઓ માટે કોઈ ખતરો નથી. , હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કેમ થયું તે અંગે કોઈ સંપૂર્ણ માહિતી બહાર આવી નથી.