લાખો કરદાતાઓને રાહત : ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો, હવે આ તારીખ સુધી ફાઇલ કરી શકશો ITR
યુટીલિટી હજુ સુધી જાહેર ન હોવાથી CBDT એ 31 જુલાઈથી વધારી
15 સપ્ટેમ્બર કરી:પગારદાર અને સામાન્ય કરદાતાઓને ફાયદો
લાખો કરદાતાઓને રાહત મળે તેવો CBDT નિર્ણય લઈને રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદતમાં દોઢ મહિનાનો વધારો કર્યો છે.31મી જુલાઈએ વર્ષ 2024-25 માટે રીટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદ્દત પહેલા જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ દ્વારા જાહેરાત કરાય છે કે રિટર્ન ફાઇલ માટેની અવધિમાં વધારો કરી આખરી મુદત 15 સપ્ટેમ્બર 2025 કરી દેવામાં છે.
Kind Attention Taxpayers!
— Income Tax India (@IncomeTaxIndia) May 27, 2025
CBDT has decided to extend the due date of filing of ITRs, which are due for filing by 31st July 2025, to 15th September 2025
This extension will provide more time due to significant revisions in ITR forms, system development needs, and TDS credit… pic.twitter.com/MggvjvEiOP
જોકે હજુ સુધી સરકાર દ્વારા યુટીલીટી બહાર પાડવામાં આવી ન હતી, જેને લઇને કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ બાબતે વિવિધ ટેક્સ એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરી તે પહેલા જ CBDTએ આ અંગેની જાહેરાત કરી આપતાં લાખો કરદાતાઓને હાશકારો થયો છે. મોટાભાગના કરદાતાઓ 31 જુલાઈએ રીટર્ન ભરતા હોય છે આથી મોટા ભાગના પગારદાર કર્મચારીઓ અને કરતાતાઓને આ મુદત નો લાભ મળશે.