આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ કેવા કર્યા વિવાદિત નિવેદન ? જુઓ
પહેલગામ આતંકી હુમલા અંગે દેશના અનેક નેતાઓ હવે બકવાસ પણ કરવા લાગ્યા છે અને વિવાદિત નિવેદનોથી રાજકીય યુધ્ધ પણ શરૂ થયું છે . મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, હરિયાણા સહિત અનેક રાજ્યોના નિર્દોષ પર્યટકોનો ધર્મ પૂછીને જીવ લેવાની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આ વાત જ તદ્દન ખોટી છે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક પાસે જઈને તેનો ધર્મ પૂછે? વડેટ્ટીવારના આ નિવેદનની ચારેકોર ટીકા થઈ રહી છે. જ્યારે તેમના સમર્થકોએ તેમને સાથ આપ્યો છે.
એ જ રીતે કર્ણાટકના મંત્રી આર બી તિમાપૂર દ્વારા પણ આવું વિવાદિત નિવેદન કરાયું છે. એમણે એમ કહ્યું છે કે આતંકીઓએ ગોળી મારતા પહેલા લોકોને ધર્મ વિષે પૂછ્યું જ નહતું. એમણે એમ પણ કહ્યું કે આ મામલાને ધાર્મિક રૂપ આપવામાં આવી રહ્યું છે .
મહારાષ્ટ્રના નેતાએ આગળ એમ પણ કહ્યું કે ઘણા સાક્ષીઓએ કહ્યું કે, આવું કંઈ બન્યુ નથી. આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. આ મામલે જવાબદાર લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય. દેશવાસીઓની આ જ લાગણી છે. આ ઘટનાને કોઈ ધર્મનો રંગ આપવો ખોટું છે. વડેટતીવારબ આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે અને આ રીતે નિવેદનો ન કરવા જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે અને એમી સામે
વડેટીવારે કહ્યું કે પહલગામની જવાબદારી તો સરકારે જ લેવી જોઈએ. ત્યાં સુરક્ષા કેમ ન હતી ? અંતે 200 કિમી સુધી આતંકવાદીઓ આવ્યા કેવી રીતે? શું તમારી ઈન્ટેલિજન્સ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે?