કારીગરોને લાગ્યું સોનાનાં ભાવનું ગ્રહણ : રાજકોટથી વતન ગયેલાં 50,000થી વધુ બંગાળીઓ પરત ન ફર્યા..!
લાંબા સમયથી સોનાની સપાટી આગેકૂચ કરી રહી છે. ભાવમાં સતત વધારાના પગલે સોનીબજારનો ચળકાટ ઝાંખો પડી રહ્યો છે. અર્થતંત્રનું ધબકતું આ બજાર હાલમાં ઓક્સિજન પર હોવાનું ઝવેરીઓની વ્યથા છે. સોનુ અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો આવ્યો છે જેને કારણે વતન ગયેલા 50,000થી વધુ બંગાળી કારીગરો પરત ન આવતાં જવેલરી માર્કેટની ચિતા વધારી દીધી છે.
રાજકોટમાં 1500થી વધુ સોના-ચાંદીનાં શો રૂમ અને નાની મોટી દુકાનો આવેલી છે, જ્યારે એક લાખથી વધુ પરપ્રાંતીય કારીગરોનો અહીં રહીં કામ કરે છે, છેલ્લા લાંબા સમયથી સોનામાં ભાવનું ગ્રહણ લાગી ગયું છે અને મંદીનો માહોલ જવાયો હોવાથી રાજકોટ થી ઈદ અને ધૂળેટી માટે વતન ગયેલા 50,000ના કારીગરો આ પરિસ્થિતિના કારણે પાછા આવ્યા નથી જેના લીધે મોટાભાગના વેપારીઓના ઓર્ડરોને બ્રેક લાગી ગઈ છે. યુ.એસ. અને ચીન વચ્ચેની ટેરીફની લડાઈ અને બેંકો દ્વારા સોનાની વધી રહેલી ખરીદીનાં પગલે સોનાનો ભાવ દિવસ અને દિવસે ઉંચી સપાટી પર પહોંચી રહ્યો છે. એક લાખ રૂપિયાથી હાથવેંત છેટું છે.આગામી સમયમાં અખાત્રીજનો તહેવાર આવી રહ્યો છે. અખાત્રીજના આજે દસ દિવસ બાકી છે તે પૂર્વે બજારમાં અગાઉથી ઓર્ડર અપાય જતા હોય છે. જ્યારે આ વર્ષે વધારાના પગલે ઝવેરીઓને જબરો ફટકો પડયો છે.
ભાવ વધ્યા એટલે 60 ટકા ખરીદીમાં કાપ
નવા વર્ષની શરૂઆત સાથે જ સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ઝવેરીઓના જણાવ્યા અનુસાર એક એક કારીગર પાસે સરેરાશ દોઢથી બે કિલો દાગીના ગળામાં માટે આવતા હતા એ ઘટીને અત્યારે ૫૦૦ ગ્રામએ પણ રહ્યા નથી. ભાવ જે રીતે ઘટી રહ્યા છે તેને પગલે દાગીનાની ખરીદી પર ૬૦% જેટલો કાપ આવી ગયો છે.ઝવેરીઓ અને કારીગરોને લોકડાઉનનો સમય ફરી તાજો થઈ ગયો છે.
અનિશ્ચિત ભાવના વચ્ચે ગ્રાહકોમાં ગભરાટ
95000ની સપાટીને પાર કરી ગયા બાદ ભાવમાં અચાનક કઢાવવા આવ્યો હતો અને ત્યારબાદ ફરી વધારાનો આંચકો આવતા ગ્રાહકો પણ ગભરાટ વચ્ચે ખરીદી કરી રહ્યા છે. જો ભાવ વધશે કે ઘટશે..? તેવી મુંઝવણ વચ્ચે છે.