પરાપીપળીયા ફાટકે ટ્રેનની અડફેટે આવતા વૃધ્ધનું મોત
શહેરના જામનગરરોડ પર આવેલા પરા પીપળીયા પાસે આવેલા રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફટે આવતા 85 વર્ષીય વૃધ્ધનું ઘટના સ્થળ જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ખંઢેરી ગામે રહેતા મુળુભાઇ લક્ષ્મણભાઈ સીપરીયા (ઉં.વ 85) ગઇકાલે સવારે ઘરેથી આટો મારવા જાવ છું તેમ કહીને નીકળી ગયા બાદ ૧૦ વાગ્યા આસપાસ પરિવારને મુળુભાઇ પરા પીપળીયા ફાટક નજીક અક્સ્માતે ટ્રેનની અડફટે આવી ગયા હોવાની જાણ થતાં દોડી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોન જણાવ્યા મુજબ મૃતક મુળુભાઇને સાંભળવામાં તકલીફ હોય ત્યારે ટ્રેન પાટા ક્રોસ કરતી વેળાએ આવાજ ન સાંભળતા આ ઘટના બની હોય શકે જો કે પોલીસે બનાવ અકસ્માત છે કે આપઘાત ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.