Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુણાલ કામરા દ્વારા એકનાથ શિંદેને લઈને કોમેડી શોમાં વિવાદિત ટીપ્પણી કરાતા સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

Mon, March 24 2025

હજુ થોડા દિવસ પહેલા જ કોમેડી શો India’s Got Talentને લઈને સમગ્ર દેશમાં વિવાદનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. રણવીર અલ્લાહબાદિયા, સમય રૈના સહિત ત્રણ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સખ્ત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી ત્યારે આજે ફરી એકવાર કોમેડિયનની કમેન્ટથી વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના રાજકારણ પર હાસ્ય કલાકાર કુણાલ કામરાની મજાક અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વિનાની તેમની ટિપ્પણીથી હોબાળો મચી ગયો છે. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, BNS ની કલમ 353(1)(b), 353(2) અને 356(2) હેઠળ MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

એકનાથ શિંદે પર કુણાલ કામરાએ શું કહ્યું?

કુણાલ કામરાએ પોતાના શોમાં એક બોલિવૂડ ગીતની પેરોડી ગાયું હતું. આ દરમિયાન તેમણે કરેલી ટિપ્પણીથી શિવસેનાના નેતાઓ નારાજ થયા હતા. થોડા દિવસો પહેલા કામરાએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી મહારાષ્ટ્ર પોલિટિક્સ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આમાં કુણાલ કામરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના હિન્દી ગીત ‘ભોલી સી સુરત…’ની તર્જ પર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો અને તેમને ગદ્દાર કહ્યા હતા.

MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો

શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. અગાઉ, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના નેતા રાહુલ કનાલ વિરુદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મુંબઈના ખાર સ્થિત ધ યુનિકોન્ટિનેન્ટલ ઓફિસ ખાતે શિવસૈનિકો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તોડફોડ પણ થઈ હતી, ત્યારબાદ ખાર પોલીસે 20 થી વધુ લોકો સામે કેસ નોંધ્યો હતો.

ફરિયાદ મુજબ, કામરાએ કાર્યક્રમ દરમિયાન એકનાથ શિંદેને નિશાન બનાવતું એક ગીત ગાયું હતું, જેને શિંદે સેનાએ વાંધાજનક ગણાવ્યું હતું. શિવસેનાના કાર્યકરોનો દાવો છે કે આ વીડિયો આ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેઓએ ત્યાં હોબાળો મચાવ્યો અને વસ્તુઓ તોડી નાખી. પોલીસે જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં ક્લબમાં તોડફોડ કરી હતી જ્યાં કામરાના વિવાદાસ્પદ શોનું શૂટિંગ થઈ રહ્યું હતું.

કુણાલ કામરાએ ‘દિલ તો પાગલ હૈ’ નામના હિન્દી ગીતની જેમ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મજાક ઉડાવી હતી. કોમેડિયનએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર આ વીડિયો ક્લિપ શેર કરી છે. કુણાલ કામરાએ એકનાથ શિંદેના 2022ના બળવાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે શિવસેના શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં વિભાજિત થઈ ગઈ.

BMC એ સ્ટુડિયોનો ફ્લોર સીલ કર્યો

કોમેડિયન કુણાલ કામરા વિવાદ અંગે, BMC એ પોતાની કાર્યવાહી વિશે કહ્યું કે સ્ટુડિયોની છત અંગે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખાર પોલીસે સ્ટુડિયોના ફ્લોરને સીલ કરી દીધો છે તેથી ત્યાં કોઈ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી નથી.

કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ – દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે પર હાસ્ય કલાકાર કુણાલ કામરાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કુણાલ કામરાએ માફી માંગવી જોઈએ.


એફઆઈઆર અને ધરપકડ

એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુંબઈ પોલીસે કામરા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધ્યો છે. ઉપરાંત, ખાર વિસ્તારમાં સ્થિત હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરનારા 40 શિવસેના કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રવિવારે રાત્રે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરોએ હોટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને તોડફોડ કરી. આ પછી, ૧૨ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને ૧૫,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા હતા. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે કામરાના બેંક ખાતા અને કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ઘંટેશ્વરમાં ગામતળની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોનો વિરોધ

Next

જમ્મુ કાશ્મીરના કઠુઆના જંગલોમાં છુપાયેલા પાંચ આતંકીઓને શોધવા માટેના ઓપરેશન દરમિયાન શસ્ત્ર સહિત આતંકીઓનો કેટલોક સામાન મળ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
54 મિનિટutes પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
1 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
1 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

બિહારમાં જમીનો પર કબજા કરનારાને છોડાશે નહીં, પટણા પાસે રેલીને સંબોધન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની લાલુ યાદવને ચેતવણી
Breaking
2 વર્ષ પહેલા
વાયનાડ અને કેદારનાથમાં શું છે સ્થિતિ ? કેટલો થયો મૃત્યુઆંક ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરના દર્શને જશે, ભવ્ય રોડ શો યોજાશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દીલ્હી સહિત ઊત્તર ભારતના અનેક ભાગોમાં 5.6 નો ફરી ભૂકંપ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર