બલુચી આર્મીનો આત્મઘાતી હુમલો : પાક.નાં ૯૦ સૈનિકોના મોત
પાકિસ્તાને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના કાફલા ઉપર હુમલો કરીને ૪૪ જવાનોનો ભોગ લીધો હતો તેવી જ ઘટના હવે ખુદ પાકિસ્તાન સાથે બની છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા ઉપર બલુચી આર્મીએ આત્મઘાતી હુમલો કરતા પાકિસ્તાની સેનાના ૯૦ જવાનોના મોત થયા છે. આ ઘટના બલુચિસ્તાનના નુશ્કીમાં બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર નોશકી જિલ્લામાં આત્મઘાતી હુમલા બાદ ભારે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી અલગતાવાદી સશસ્ત્ર જૂથ, બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. અને તેણે દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મીનાં (BLA) પ્રવક્તા જિયાન બલોચે જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલામાં એક બસને નિશાન બનાવી હતી અને પછી બીજી બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલાના સ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલું વાહન સેનાનાં કાફલા સાથે અથડાવવામાં આવ્યું હતું
કાફલામાં આઠ બસો હતી, જેમાંથી એક બસ હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હુમલા બાદ તરત જ, BLAની ટુકડીએ બસને ઘેરી લીધી હતી અને તેમાં હાજર તમામ સૈનિકોને મારી નાખવામાં આવ્યા હતા.
જો કે, પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નોશ્કીમાં પાકિસ્તાની સેનાનાં કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા.