આજે અદાણી પરિવારમાં લગ્નોત્સવ : જીત-દીવા અમદાવાદમાં સાત ફેર ફરશે
દર વરસે 500 અપંગ બહેનોને લગ્ન માટે ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય આપવાનો લીધો સંકલ્પ
પુત્ર-પુત્રવધુનાં નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરતા ગૌતમ અદાણી
વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ઘરે આજે શુક્રવારે લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. ગૌતમ અદાણીનાં ના નાના પુત્ર જીત અદાણી તેમની મંગેતર દિવા શાહ સાથે અમદાવાદમાં સાત ફેર ફરશે. આ પહેલા, વરરાજા અને કન્યાએ એક મોટો સંકલ્પ લીધો છે, જેના સંદર્ભમાં ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે.

જીત-દિવાએ એક મોટો નિર્ણય લીધો અને દિવ્યાંગ બહેનો અને નવપરિણીત દિવ્યાંગ યુગલોને મદદ કરવા માટે ‘મંગલ સેવા’ કાર્યક્રમની જાહેરાત કરી છે. લગ્નના બે દિવસ પહેલા જીત અદાણી આવા 21 નવપરિણીત યુગલોને મળ્યા હતા.

ગૌતમ અદાણીએ તેમના પુત્ર જીત અદાણી અને પુત્રવધૂ દિવા જૈમિન શાહ દ્વારા દિવ્યાંગ બહેનોને મદદ કરવા માટે લેવામાં આવેલા સંકલ્પ પર ખુશી વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક મોટી વાત કહી છે, ‘તેમણે આ પહેલની પ્રશંસા કરી અને કહ્યું કે ખૂબ જ ખુશીની વાત છે કે મારો પુત્ર જીત અને પુત્રવધૂ દિવા એક ઉમદા પહેલ સાથે તેમના લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

મંગલ સેવા સંકલ્પ વિશે માહિતી આપતા ગૌતમ અદાણીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘જીત અને દિવાએ દર વર્ષે 500 અપંગ બહેનોના લગ્ન માટે 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનું નક્કી કર્યું છે.’ એક પિતા તરીકે તેઓ જે શુભ સેવા કરી રહ્યા છે તેનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું. મને વિશ્વાસ છે કે આ પ્રયાસ દ્વારા, ઘણી અપંગ દીકરીઓ અને તેમના પરિવારોનું જીવન સુખ, શાંતિ અને સન્માન સાથે આગળ વધશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જીત અને દિવાને સેવાના આ માર્ગ પર આગળ વધવા માટે આશીર્વાદ અને શક્તિ આપે.
જીત અદાણી અને દિવાની સગાઈ ૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ થઈ હતી. દિવા જૈમિન શાહ હીરા પેઢી સી. દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક જૈમિન શાહની પુત્રી છે. આ કંપની મુંબઈ અને સુરતમાં સ્થિત છે. જૈમિન શાહ સુરત હીરા બજારના મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. દિવા શાહ લાઈમલાઈટથી દૂર રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવા જૈમિન શાહ કરોડોની માલિક પણ છે.
બોક્સ
જીત અદાણી એરપોર્ટ, સંરક્ષણ અને પેટ્રોકેમીકલ્સ સંભાળે છે
ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી વિશે વાત કરીએ તો, તેઓ 2019 માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા. જીને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે અને હાલમાં તે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. આ ઉપરાંત, તેઓ ગ્રુપના સંરક્ષણ અને પેટ્રોકેમિકલ્સ વ્યવસાયની જવાબદારી સંભાળી રહ્યા છે.