રૂ.1.80 લાખની લાંચ લીધાના કેસમાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર અનિલ મારૂ જામીન મૂકત
રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા હાઇકોર્ટે શરતોને આધીન જામીન આપ્યા
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકામાં ખાલી પડેલી ઈન્ચાર્જ ફાયર ઓફીસરની જગ્યા પર ભુજના અનિલ મારૂની બદલી કરવામાં આવી હતી. અને ચાર્જ સાંભળ્યા બાદ મારૂને એસીબીએ રૂ.1.80 લાખની લાંચ લેતા રંગે હાથ પકડી પડ્યો હતો.જે કેસમાં અનિલ મારુને શરતોને આધીન હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકિકત મુજબ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકામાં ખાલી પડેલી ઈન્ચાર્જ ફાયર ઓફીસરની જગ્યા પર ભુજના અનિલકુમાર મારૂૂની બદલી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગર પાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર વર્ગ-1 તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ફાયર સેફટી એજન્સીનું કામ કરતા ફરિયાદીને અનિલ મારૂૂને એટલાનટીસ હાઈટસની ફાયર સેફટી એન.ઓ.સી. આપવા માટે મળેલ અને તે બાબતે તેઓની સાથે વાતચીત કરતા તેઓએ કહેલ કે એન.ઓ.સી. મેળવવા વહીવટ કરવો પડશે. અને એન.ઓ.સી. કઢાવવા રૂ.3 લાખની માંગણી કરી હતી. જેમાંથી ફરિયાદીએ રૂ.1.20 લાખ આપ્યા હતા.બાકીના રૂ.1.80 લાખ ચાર દિવસમાં આપી જશે તેવી વાત થઈ હતી. જે બાકીના રૂપિયા આપવા માંગતા નહિ હોવાથી ફરિયાદીએ એસીબી કચેરીમાં ફરીયાદ કરતા છટકુ ગોઠવી એસીબીએ લાંચની રકમ સાથે અનિલ મારૂૂની ધરપકડ કરી હતી. જેલમાંથી આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રદ થયા પછી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ અનિલ મારુના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપી અનિલ મારૂૂને શરતોને આધિન જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી અનિલ મારૂ વતી હાઈકોર્ટના સિનીયર એડવોકેટ નિરુપમભાઈ નાણાવટી, રાકેશભાઈ દોશી, પ્રતિકભાઈ જસાણી તથા ગૌતમ ગાંધી રોકાયા હતા.