જમ્મુથી શ્રીનગર ટ્રેન દ્વારા ૩ કલાકમાં પહોંચાશે
રેલવેએ એ વંદેભારત અને બે અન્ય ટ્રેન માટેનું ટાઈમટેબલ જાહેર કર્યું
રેલવેનું જમ્મુ ડિવિઝન અલગ બનશે, સોમવારે વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત
જમ્મુથી શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા જલ્દી શરુ થવાના સંકેતો આપીને રેલવેએ એક વંદે ભારત અને બે બીજી ટ્રેનનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. વંદેભારત ટ્રેન વૈષ્ણોદેવીથી સવારે ૮-૧૦ વાગ્યે ઉપડશે અને ૧૧-૨૦ વાગ્યે શ્રીનગર પહોંચશે. આ જ ટ્રેન બપોરે શ્રીનગરથી ૧૨-૪૫ વાગ્યે ઉપડશે અને ૩-૫૫ વાગ્યે વૈષ્ણોદેવી પહોંચશે. વંદેભારત સિવાયની બે ટ્રેન પણ આ જ રીતે રાઉન્ડ ટ્રીપ કરશે.

રેલવેના સુત્રો અનુસાર, વંદેભારત ૩ કલાક ૧૦ મિનીટમાં અંતર પૂરું કરશે જયારે બીજી મેઈલ-એક્સપ્રેસ ટ્રેન ૩ કલાક ૨૦ મિનીટમાં આ અંતર પૂરું કરશે. વંદેભારત ટ્રેન દિલ્હીથી શ્રીનગર રૂટ ઉપર ક્યારે દોડશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રેલવે તંત્ર કાશ્મીરમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એક વંદેભારત ટ્રેન ઉપરાંત પાંચ બીજી એ.સી. ટ્રેન દોડાવવાનો યોજના ધરાવે છે. આ છ ટ્રેનમાં વિસ્ટાડોમ ટ્રેનનો પણ સમાવેશ થાય છે આ ટ્રેન અત્યારે દોડે જ છે. આ સમગ્ર વિસ્તારમાં રેલવે સુવિધા વધારવાના હેતુથી જમ્મુનું અલગથી રેલ્વે ડીવીઝન પણ બનવાનું છે અને તેનું ખાતમુહુર્ત સોમવારે વડાપ્રધાન કરવાના છે.