Yearly Horoscope 2025: મેષથી લઈને મીન રાશિના જાતકો માટે વર્ષ 2025 કેવું રહેશે, અહીં વાંચો તમારા નવા વર્ષનું સંપૂર્ણ રાશિભવિષ્ય
તા.૧-૧-૨૦૨૫ને બુધવારથી ખ્રીસ્તી નવા વર્ષની શરૂઆત થશે. આ વર્ષના ગ્રહો જોતા માર્ચ મહિના સુધી ડોલર સામે રૂપીયો નબળો પડતો જણાશે. જ્યારે ૨૯ માર્ચથી ૧૮ મે સુધી ગોચરમાં મીન રાશીમાં શની-રાહુનો શ્રાપિત દોષ થશે. જે સમયગાળા દરમ્યાન રાજકિય અને આર્થિક નિર્ણયો લેવાશે. તેનાથી ભારતનાં ભવિષ્યનું નિર્માણ થઇ શકે છે. ખાસ કરીને ભારત માટે આ સમયગાળો નિર્ણાયક રહેશે. મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે. મે મહિના પછી તેના પર કાબુ આવી શકે છે.
મેષ (અ,લ,ઇ)
મે મહિના સુધીનો સમય વધારે કસોટી, ૨૯ માર્ચથી લોઢાના પાયે સાડાસાતી શરૂ થશે. મહેનત કરાવે, શાંતી રાખવી. શેર-સટ્ટાથી દુર રહેવું. હનુમાનજી, શનિદેવની ઉપાસના કરવી.
વૃષભ (બ,વ,ઉ)
જો તમે યોગ્ય દિશા તરફ મહેનત કરશો તો આ વર્ષ પ્રગતીકારક રહેવાનું છે. ભાગ્યોદય થાય. જો જન્મકુંડળી બળવાન હશે તો આ વર્ષે લાભ મળવાની શક્યતા ખરી. નોકરીમાં પ્રગતી થાય. કુળદેવીની ઉપાસના લાભ આપે.
મીથુન (ક,છ,ઘ)
આ વર્ષ પ્રગતીકારક રહેવાનું છે. ખોટા પ્રલોભનમાં આવવું નહિં. બચતનું જોર વધારે રાખવું. ભવિષ્યમાં લાભ આપશે. શ્રીકૃષ્ણ ભગવાનની પુજા-ઉપાસના લાભકારક બની શકે છે.
કર્ક (ડ,હ)
કર્ક રાશીના જાતકોને આઠમાં સ્થાનેથી રાહુ પસાર થશે. વાહન ધીમે ચલાવવું. ગળા તથા આંખની બિમારીથી સાવચેત રહેવું. અચાનક ખર્ચા આવી શકે છે. પ્રગતી મંદ ગતીએ થાય. વારસાગત વાદ-વિવાદથી દુર રહેવું. જો કે નોકરીમાં બદલી સાથે પ્રગતી થઇ શકે છે. તેમાં જન્મના ગ્રહો બળવાન હોવા જરૂરી છે. મહાદેવજીની પુજા-ઉપાસના લાભકારક રહેશે.
સિંહ (મ,ટ)
સિંહ રાશીના જાતકોને શનીની નાની પનોતી ૨૯ માર્ચથી શરૂ થશે, જે લોઢાના પાયે છે. આથી ૨૯ માર્ચ બાદ વ્યાપાર-ધંધા-નોકરીમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવા. નાણા ઉછીના આપવા નહિં. ખર્ચમાં વધારો થશે. જ્યારે જમીન-મકાનના પ્રશ્નો ઉકેલાઇ શકે છે. થોડી માનસીક અશાંતી જરૂર રહેશે, પરંતુ એકંદરે આ વર્ષ મધ્યમ રહેશે. સુર્યને અર્ઘ ખાસ આપવું, ઇષ્ટદેવની ઉપાસના કરવી.
કન્યા ( પ,ઠ,ણ)
કન્યા રાશીના જાતકોને આ વર્ષે પ્રગતીકારક અને ભાગ્યોદયકારક રહેશે. જો મહેનત કરશો તો આ વર્ષે નોકરીમાં પ્રગતી નકક્ી છે. અને વ્યાપારમાં પણ પ્રગતી દર્શાવે છે. જાહેર જીવનમાં ધ્યાન રાખીને બોલવું. દામ્પત્ય જીવનમાં મીઠાશ રાખવી જરૂરી બનશે. રાધા-કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી. વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા ફળદાયી રહેશે.
તુલા (ર,ત)
શેર સટ્ટાથી દુર રહેવું, ખોટા મિત્રોથી દુર રહેવું જરૂરી બનશે. ધાર્મિક અને આધ્યાત્મીક પ્રગતી થશે. આરોગ્યનું ખાસ ધ્યાન અને વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવું. નોકરી ધંધા માટે આ વર્ષ મધ્યમ છતાં પ્રગતીકારક રહેશે. બચતનું પ્રમાણ વધવાની શક્યતા ખરી. લક્ષ્મીજી તથા વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી. શ્રીસુકત ના પાઠ કરવા.
વૃશ્ચિક (ન,ય)
રાશીના જાતકોને નાની પનોતી સોનાના પાયે છે. તેમાંથી રાહત મળશે. જમીન-મકાનના પ્રશ્નો હોય તો ઉકેલાય શકે છે. નોકરીમાં પ્રમોશનનાં યોગ છે. વ્યાપાર બાબતે આ વર્ષ મધ્યમ રહેશે.છતાં નવો વ્યાપાર કરવો હોય તો જન્મનાગ્રહો જોઇ અને નવા વ્યાપરની શરૂઆત થઇ શકે છે. ગણપતિ દાદાની પુજા-ઉપાસના ફળદાયી રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
રાશીના જાતકોને આ વર્ષ સામાન્ય રહેશે. ૨૯ માર્ચથી શનીની નાનીપનોતી લોઢાના પાયે શરૂ થશે. ખર્ચા ઉપર
કાબુ રાખવો જરૂરી બનશે. વ્યાપાર ધંધા નોકરીમાં ખાસ સમય ફાળવવો જરૂરી બનશે. આ વર્ષ કોઇ બીજા ઉપર આધાર રાખવો નહિ. પોતાનું કામ પોતે જ કરવું. વાહન ધીમે ચલાવવું. ૧૮ મે થી ચોથે રાહુ માંથી રાહત મળશે. શનિદેવ તથા મહાદેવજીની પુજા ઉપાસના કરવી.
મકર ( ખ,જ)
મકર રાશીના જાતકોને આ વર્ષ ૨૯ માર્ચથી શનીની મોટી પનોતી માંથી રાહત મળશે. આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. જો જન્મના ગ્રહો બળવાન હશે તો આ વર્ષે પ્રગતી સારી થશે. આ વર્ષ ભાગ્યોદયકારક રહેશે. ધર્મ કાર્ય પુજા-પાઠ લાભદાયી રહેશે. વ્યાપાર-નોકરીમાં પ્રગતી થાય. હનુમાનજીની ઉપાસના લાભદાયી રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કુંભ રાશીના જાતકોએ આ વર્ષે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. જોકે ૨૯ માર્ચથી શનીની મોટી પનોતીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે લક્ષ્મીદાયક છે. આ વર્ષે ધીમી પરંતુ સારી પ્રગતી થશે. આ વર્ષે આધ્યાત્મીક અને ધર્મમાં ધ્યાન આપવાથી જીવનમાં શાંતી મળશે. હનુમાનજી તથા શનિદેવની ઉપાસના લાભ કારક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મીન રાશીના જાતકોને આ વર્ષ મિશ્ર ફળ આપશે. ખાસ કરીને વર્ષના મધ્યથી બારમે પસાર થતો રાહુ માનસીક ટેન્શન આપી શકે છે. ખોટુ રોકાણ કરવું, છુપા શત્રુથી દુર રહેવું જરૂરી બનશે. ખર્ચા ઉપર કાબુ રાખવો. કોર્ટ-કજીયાથી દુર રહેવું. નોકરી-વ્યાપાર બાબતે પણ એકદમ વિચારી અને નિર્ણયો લેવા જરૂરી બનશે. ગુરૂ મંત્રના જપ કરવા. મૃત્યુંજય મંત્રના જપ કરવા પણ લાભકારક રહી શકે છે.