PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી : દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજસી લેન્ડિંગ
ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના સમાચાર છે. જેના કારણે પીએમ મોદીના હેલિકોપ્ટરને દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમની દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને દેવઘરમાં જ ટેક ઓફ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધી શુક્રવારે ઝારખંડના ગોડ્ડામાં ચૂંટણી રેલી બાદ દિલ્હી પરત ફરવાના હતા. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા હેલિકોપ્ટરને ગોડ્ડાના બેલબદ્દાથી ઉડવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જે બાદ તેમણે દેવઘર એરપોર્ટ પર 45 મિનિટ રાહ જોવી પડી હતી.
હવે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ટેકઓફ માટે ક્લિયરન્સ ન મળવાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પીએમ મોદીની સભાને કારણે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી. બાદમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામથી ટેક ઓફ કરવાની મંજૂરી મળી હતી.