સલામતી વ્યવસ્થા પૂરી ના પાડતા ભારતનો કોન્સ્યુલર કેમ્પ કેન્સલ
કેનેડાની ટુડો સરકારની વધુ એક અવળચંડાઇ
કેનેડામાં હિન્દુ સમુદાય ઉપર વધતા જતા હુમલાઓ અને અરાજક તત્વોને કાબુમાં લેવાની કેનેડાની નિષ્ફળતા વચ્ચે ટોરેન્ટોમાં ભારતીય રાજદૂત કચેરી દ્વારા પૂર્વ નિર્ધારિત કોન્સ્યુલર કેમ્પ કેન્સલ કરવાની ફરજ પડી હતી.
ભારતની રાજદૂત કચેરી દ્વારા કેનેડામાં વિવિધ શહેરો અને સ્થળોમાં લાઈફ સર્ટિફિકેટ આપવા માટે કોન્સ્યુલર કેમ્પ યોજવામાં આવે છે. દરમિયાન થોડા દિવસ પહેલા બ્રેમ્પટોન ખાતે હિંદુ સભા મંદિરમાં યોજાયેલા આવા જ કાર્યક્રમ સમયે ખાલીસ્તાનવાદી તત્વોએ હુમલો કરી હિન્દુઓને માર માર્યો હતો. એ ઘટના બાદ હિન્દુઓએ પ્રચંડ એકતાનું પ્રદર્શન કરી કેનેડાના અનેક શહેરોમાં વિરોધ રેલીઓ કાઢી હતી.
આવા સંઘ વાતાવરણ વચ્ચે યોજાયેલા કોન્સ્યુલર કેમ્પમાં ફરી એક વખત એવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર હતી પરંતુ કેનેડાની સુરક્ષા એજન્સીઓ પર્યાપ્ત રક્ષણના આપી શકતા અને તે કાર્યક્રમ કેન્સલ કરવા પડ્યો હતો. ભારતના કોન્સ્યુલર જનરલના જણાવ્યા અનુસાર કેનેડા સરકારે ન્યૂનતમ સલામતી બંદોબસ્ત આપવાની પણ અસમર્થતા જાહેર કરી દીધી હતી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે આ અગાઉ બીજી અને ચોથી નવેમ્બરે વાનકુવર અને સરેમા યોજાયેલા આવા જ કોન્સિડર કેમ્પમાં ખાલિસ્તાનવાદીઓ દ્વારા ખલેલ પહોંચાડવામાં આવી હતી.