Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું : મોદી

Thu, October 31 2024

  • વડાપ્રધાને દેશવાસીઓને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી : સરદાર પટેલની પ્રતિમાનું ચરણ પૂજન કરી વડાપ્રધાને એકતા પરેડમાં હાજરી આપી
  • દેશમાં બે વર્ષ સુધી સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાશે

કેવડિયા : ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 31 ઓક્ટોબરે દેશભરમાં અનોખો સંયોગ સર્જાયો છે. એકતા દિવસની સાથોસાથ દિવાળી પણ ઉજવાઈ રહી છે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રતિમાનું ચરણ પૂજન કરી એકતા પરેડમાં પણ વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે એકતા પરેડમાં સંબોધન કરતા સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમણે કરેલા કાર્યોને યાદ કરી દેશમાં બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સંબોધન કર્યુ. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યુ કે સરદાર પટેલે અસંભવ કામને પણ સંભવ કરેલુ છે. અનેક રજવાડાઓને સરદાર પટેલે એક કરીને બતાવ્યા છે. સરદાર સાહેબ ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ પણ એકતાને દર્શાવે છે. આ સાથે જ તેમણે સંબોધનમાં જણાવ્યુ કે રેલ, હાઈવે, ઈન્ટરનેટથી ગામડાઓને શહેરથી જોડવાનું કામ કર્યું છે. પીએમ આવાસ યોજનાના મકાન ભેદભાવ વગર મળી રહ્યાં છે. કોઈ પણ જાતના ભેદ ભાવ વગર તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસે અદભૂત સંયોગ છે. એક તરફ એકતા દિવસ, બીજીતરફ દિવાળીનો પાવન પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે.દીવડાના માધ્યમથી દિવાળી સમગ્ર દેશને જોડે છે. દિવાળી સમગ્ર દેશને પ્રકાશમય કરે છે. હવે તો દિવાળી ભારતને વિશ્વના દેશો સાથેપણ જોડી રહી છે. અનેક દેશોમાં દિવાળીનો પર્વ ઉજવાઇ રહ્યો છે.

એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મો દીએ કહ્યું હતું કે, આ વખતનો એકતા દિવસ વિશેષ છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતી વર્ષની

શરૂઆત થઇ છે. 2 વર્ષ સુધી દેશમાં સરદારની 150મી જયંતી નો ઉત્સવ ઉજવાશે. દેશવાસીઓની આ સરદાર પ્રત્યેની કાર્યાંજલિ છે. એક

ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને તે મજબૂત કરશે. આપણને આઝાદી મળી ત્યારે કેટલાક લોકો ભારતની વિખેરાવાની રાહ જોતા હતા. તેમને આશા નહોતી કે અસંખ્ય રજવાડાને એક કરી શકાશે. સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરીને બતાવ્યુ. સરદાર સાહેબ વ્યવહારમાં યથાર્થવાદી હતા . તેઓના ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા .

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણા છે. રાયગઢનો કિલ્લો સાક્ષાત ગાથા કહે છે.એકતા નગરમાં રાયગઢના કિલ્લાની છબી પ્રેરણાનું અતિત દર્શાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માત્ર નામમાં યુનિટી નથી, તેને બનાવવામાં પણ યુનિટીનો ઉપયોગ થયો છે. “ખેડૂતોના ખેતરોમાં વપરાતા ઓજારોનું લોખંડ તેમજ દેશના દરેક ખૂણાની માટી અહીં લવાઇ છે તેનું નિર્માણ જ એકતાની અનુભૂતિ કરાવે છે. યાત્રીઓ

માટે અહીં એકતા મોલ પણ છે. એકતા નો સંદેશ એકતા દોડથી મજબૂત થતો હોવાનું તેમને ઉમેર્યું હતું.

વડાપ્રધાનમંત્રી મોદીએ આ તકે, દેશમાં બંધારણની માળા ઝપનારાઓએ જ બંધારણનું અપમાન કર્યું હોવાનું જણાવી કાશ્મીરમાંથી હટાવવામાં આવેલ બંધારણની કલમ 370 તેમજ એક દેશ એક ટેક્સ રૂપે જીએસટીનો ઉલ્લેખ કરી દેશમાં એક બંધારણ અમલમાં લાવ્યા હોવાનું જણાવી દેશમાંથી નક્સલવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ભારતીય મૂળ ધરાવતા અમેરિકન મતદારોનું ટ્રમ્પને નહીં, કમલા હેરીસને પ્રચંડ સમર્થન

Next

નવા વર્ષથી જીએસટી પોર્ટલમાં થશે ફેરફાર: ત્રણ વર્ષ પછી રિટર્ન ભરવા પર આવશે રોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
28 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
53 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

ન્યાયાધીશો યાત્રાળુ જેવા છે જે દરરોજ સેવાની પ્રતિબદ્ધતા સાથે કોર્ટમાં આવે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઓખા-તુતીકોરિન અને રાજકોટ-કોઈમ્બતુર ટ્રેન ડાયવર્ટ કરાઇ
રાજકોટ
3 વર્ષ પહેલા
કેનેડાઃ સિંગર એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ કેસમાં એક આરોપીની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
PM મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર