અલવિદા રતન ટાટા…પાર્થિવદેહ પંચમહાભૂતમાં થયો વિલીન, દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિઓએ આપી શ્રદ્ધાંજલિ
ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે. મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન કર્યા બાદ રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. ભારતના અનમોલ રતન એવા રતન ટાટાનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો.
રાજનેતાઓથી લઈને અભિનેતાઓ, ખેલાડીઓ અને સામાન્ય લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસ, ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, શરદ પવાર, સુપ્રિયા સુલે, રાજ ઠાકરેથી લઈને કુમાર મંગલમ બિરલા અને રવિ શાસ્ત્રીએ NCPA ગ્રાઉન્ડ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી..