રાજકોટમાં વધુ ત્રણના હર્દય ધબકારા ચૂકી ગયા
મજૂરી અર્થે આવેલા ૩૫ વર્ષીય શ્રમિક સહિત બે મહિલાનું હાર્ટ એટેકથી મોત
શહેરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે ત્યારે વધુ ત્રણના હર્દય ધબકારા ચૂકી ગયું છે. રાજકોટમાં ૧૫ દિવસ પૂર્વે જ કામની શોધમાં આવેલા ઉતરપ્રદેશના યુવક સહિત બે મહિલાના મોતની ઘટના સામે આવી છે.
વિગતો મુજબ , શહેરના માજોઠીનગરમાં રહેતો અને મૂળ ઉત્તરપ્રદેશનો ૩૫ વર્ષીય રમેશ શુક્લભાઈ પ્રસાદ હજુ ૨૫ દિવસ પહેલા કામની શોધમાં રાજકોટ આવ્યો હતો ત્યારે ગત રોજ ઘરે બેભાન થઈ ઢળી પડતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહી સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકે દમ તોડી દીધો હતો.બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક યુવકના પરિવારને જાણ કરી હતી.
બીજા બનાવમાં પારેવડી ચોક સદ્દગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતાં તનુમતીબેન રમેશભાઇ ઘોરડા (ઉ.વ.૫૫) પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અહી તબીબી જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.ઘટના અંગે જાણ થતાં બી- ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે આવી જરૂરી તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં ધરમ સિનેમા નજીક કેન્દ્રાંચલ ક્વાર્ટરમાં રહેતાં અને આયકર વિભાગમાં ફરજ બજાવતા અશોકભાઈ પરમારના પત્ની દિપાલીબેન (ઉ. વ.૪૮) ઘરે બેભાન થઈ જતાં તેમને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાજર પરના તબીબે સ્ટાફે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં દીપલીબેનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું હતું.