સુપ્રીમે રાહુલને સલાહ પણ આપી: એક નેતાએ સમજદારી દાખવવી જોઈએ
જાહેર જીવનમાં પડેલા લોકોએ શબ્દોની પસંદગીમાં સાવધાની રાખવી જરૂરી: શીખ લેવા ટકોર
નવી દિલ્હી: રાહુલ ગાંધીને ગત માર્ચ માસમાં સુરતની સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ માનહાની કેસમાં જે 2 વર્ષની સજા ફટકારી હતી તેની સામે સ્ટે આપતા સમયે સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની ખંડપીઠે રાહુલ ગાંધીને સલાહના બે શબ્દો પણ કહ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે એ વાતમાં કોઈ સંદેહ નથી કે જે વાત કહેવામાં આવી તે યોગ્ય ના હતી.
જાહેર જીવનમાં રહેલા લોકોએ ભાષણ દેતા સમયે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તમો તે ચિંતા કરશો. રાહુલ ગાંધીએ તેની સજા સામે ગુજરાત હાઈકોર્ટ જે રીતે સજાને યોગ્ય રાખી હતી તેની સામે પોતાનું સોગંદનામું દાખલ કર્યુ હતું અને તેમાં તેઓને જે રીતે દોષિત જાહેર કરાયા તેની સામે પ્રશ્ર્ન ઉભો કર્યો હતો.