ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર : રાજ્યમાં 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજ રોજ મળી હતી જેમાં શિક્ષણ વિભાગ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટા ના ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય તેમ 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કેબિનેટ ની બેઠકમાં ભરતીને મંજૂરી આપવામાં આવી છે. કુલ 24 હજાર 700 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતીની જાહરાત કરી હતી ત્યારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
3500 માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર સુધીમાં શિક્ષકોની ભરતી કરશે, 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે.
